રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા3 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસામાં ધામધૂમપૂર્વક જલઝીલણી એકાદશી અને ગણેશ વિસર્જનની વિશાળ શોભાયાત્રા નીકળી

ડીસામાં ધામધૂમપૂર્વક જલઝીલણી એકાદશી અને ગણેશ વિસર્જનની વિશાળ શોભાયાત્રા નીકળી
શોભાયાત્રા શહેરના રાજ માર્ગો ઉપર ફરી : વિવિધ ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું ​ધાર્મિક આસ્થા અને ભક્તિના વાતાવરણ વચ્ચે, ડીસા શહેરમાં જલઝીલણી એકાદશી અને ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ અગિયારસ ને તારીખ ૦૩/૦૯/૨૦૨૫ ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેમણે એક પવિત્ર અને ઉત્સાહપૂર્ણ માહોલનું નિર્માણ કર્યું હતું. આ શોભાયાત્રાની શરૂઆત ડીસાના મહંત રામદાસજીના રામજી મંદિરેથી સવારે ૯:૦૦ કલાકે યજ્ઞ અને અખંડ રામધુન ઉત્સવ સાથે થઈ હતી. આ ધાર્મિક વિધિઓ બપોરે ૧:૩૧ કલાકે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ, બપોરે ૩:૦૦ કલાકે ડીસાના અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાનની ત્રણેય મંદિરની પાલખીની ભવ્ય જલયાત્રા નીકળી હતી. આ ભવ્ય શોભાયાત્રા મહંત રામદાસજીના રામજી મંદિરેથી પ્રસ્થાન થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રા રીસાલા મંદિર, સુભાષચોક, પોલીસ સ્ટેશનથી લેખરાજ ચાર રસ્તા, રામજી મંદિર, જૂની જેલ, સદરબજાર, મારવાડી મોચીવાસ, અંબાજી મંદિર થઈ વાડી રોડ પર આગળ વધી હતી. ડો. વિજયભાઈ સૈનીના કૂવા પાસે ભગવાનને સ્નાન કરાવ્યા બાદ, આ યાત્રા પરત વાડી રોડ, લેખરાજ ચાર રસ્તા, સરસ્વતી રેસ્ટોરન્ટ, રીસાલા મસ્જિદ પાસેથી પસાર થઈ રામજી મંદિરે પરત ફરી હતી. રાત્રે ૯:૦૦ કલાકે શોભાયાત્રાનું સમાપન થયું હતું. આ શોભાયાત્રામાં માત્ર જલઝીલણી એકાદશીની પાલખીઓ જ નહીં, પરંતુ ગણેશ ઉત્સવનું સમાપન પણ થયું હતું. ગણેશજીની મૂર્તિઓને ઊંટગાડી, ટ્રક, અને ટ્રેક્ટર પર સુશોભિત કરીને શોભાયાત્રામાં જોડવામાં આવી હતી, જેણે યાત્રાની ભવ્યતામાં વધારો કર્યો હતો. ડીસા અને આસપાસના વિસ્તારના હજારો ધર્મપ્રેમી ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટી પડીને ભગવાનની પાલખી અને ગણેશજીની મૂર્તિઓના દર્શનનો લાભ લીધો હતો.

સંબંધિત સમાચાર