થરાદ માર્કેટયાર્ડની સામે આવેલી બે દુકાનમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં ફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાના કારણની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, દુકાનોમાં થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવવામાં આવ્યો નથી.ઘટના સ્થળે બહોળી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.
થરાદ માર્કેટયાર્ડની સામે આવેલી બે દુકાનમાં આગ લાગી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબાળકોને ચારિત્ર્યના પાઠ ભણાવતો શિક્ષક જ નીકળ્યો હનીટ્રેપનો મુખ્ય સૂત્રધાર..!
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં "જય રણછોડ માખણ ચોર" નો નાદ ગુંજી ઉઠ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાકુંપટ ગામે શીતળા સાતમે ભક્તિમય માહોલ, માતાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
1 દિવસ પહેલા
બનાસકાંઠાલાખણીના ગેળા ગામે જર્જરિત વીજ થાંભલો, વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
1 દિવસ પહેલા
