રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા6 માર્ચ, 2026| Super Admin

થરાના યુવકનું શંકાસ્પદ મોત બાબતે મામલતદારને આવેદનપત્ર અપાયું

થરાના યુવકનું શંકાસ્પદ મોત બાબતે મામલતદારને આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા ગામના વતની ધવલભાઈ રાઠોડનું સુરતના સુલતાનાબાદ ખાતે આવેલા એક રિહેબ સેન્ટરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. ધવલભાઈને વ્યસન મુક્તિની સારવાર માટે 1 માર્ચ 2026 ના રોજ આ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને તે જ રાત્રે તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને પગલે વઢીયાર ગોળ દરજી સુથાર સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાજ દ્વારા મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકો દ્વારા યુવકને માથાના તેમજ કિડનીના ભાગે ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું છે. સમાજે આ ઘટનાને 'ક્રૂર હત્યા' ગણાવી છે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.આ બાબતની સમાજ દ્વારા મુખ્યમંત્રી સહિત ઉચ્ચસ્તરે પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.    

સંબંધિત સમાચાર