ડીસાના જોરાપુરા ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 6 જુગારીયા પકડાયા

એલસીબી પોલીસે રીક્ષા સહિત 1.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો; સરહદી રેન્જ કચ્છ- ભુજના પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે, પાલનપુર એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) પોલીસ દ્વારા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના જોરાપુરા ગામમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પાલનપુર એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, જોરાપુરા ગામમાં ગોગા મહારાજના મંદિર સામે આવેલ એક અવાવરુ- ખંડેર ઘરની ખુલ્લી ઓસરીમાં કેટલાક ઈસમો જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો શ્રાવણીયો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં (1) મહેશભાઈ જગાભાઈ પરમાર (રહે. સમશેરપુરા, તા. ડીસા) (2) પીન્ટુજી રમેશજી સોલંકી (રહે. જોરાપુરા, તા. ડીસા) (3) લેબજીજી વેરશીજી ઠાકોર (રહે. જોરાપુરા, તા. ડીસા) (4) વિક્રમજી ફુલાજી ઠાકોર (રહે. જોરાપુરા, તા. ડીસા) (5) વિનોદજી શંભુજી ઠાકોર (રહે. જોરાપુરા, તા. ડીસા) અને (6) ગોરઘનજી નટાજી ઠાકોર (રહે. જોરાપુરા, તા. ડીસા) ને પકડી લીધા હતા.
પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂ. ૧૨,૪૪૦/-, પાંચ મોબાઈલ ફોન (કિંમત રૂ.૨૮,૫૦૦/-), એક ઓટો રીક્ષા (કિંમત રૂ.૧,૦૦,૦૦૦/-) અને એક મોટર સાયકલ (કિંમત રૂ.૫૦,૦૦૦/-) મળી કુલ રૂ.૧,૯૦,૯૪૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ પકડાયેલા જુગારીયા વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ટેગ્સ:#LCB#Deesa#arrests#Local Crime Branch#Law Enforcement#Police Action#Community Safety#Jorapura Village#Gambling Raid#Gambling Act#Teenpatti#Shravaniyo Gambling
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શાક માર્કેટમાં વિવાદનો વંટોળ: તંત્રના નિર્ણય સામે વેપારીઓએ બાયો ચઢાવી
10 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના પંથકમાં વિકાસની નવી રફ્તાર : બનાસ નદી પર સબમર્સીબલ બ્રિજનું વિધિવત પૂજન કરાયું
12 કલાક પહેલા
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
