રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા17 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના લુણપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા

ડીસાના લુણપુર નજીક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા

ડીસા તાલુકાના લુણપુર ગામ પાસે આજે એક અત્યંત કરુણ અને ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સામસામે ધસમસતા આવતા બે વાહનો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.​ મળતી માહિતી મુજબ, લુણપુર ગામ નજીક મુખ્ય માર્ગ પર બે વાહનો વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.​ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી તુરંત જ નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન ત્રણેય વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે.​ અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કોની બેદરકારી હતી ? તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.    

સંબંધિત સમાચાર