સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સહકારી જીન રોડ પર બનેલા અકસ્માતમાં 108 તાત્કાલિક સેવા તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન 108 મા ફરજ બજાવતા ઈ.એમ.ટી. ભાર્ગવકુમાર પટેલ અને પાયલટ રિતેશ પટેલ દ્વારા પોતાની ફરજ સાથે માનવતા અને પ્રામાણિકતાનું અનોખું કાર્ય કર્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દી પાસે રહેલી કિંમતી વસ્તુઓ – અંદાજે 2.5 તોલાનો સોનાની ચેઇન, 1 મોબાઈલ ફોન અને 1 ચાવી – કુલ લગભગ રૂ. 2,50,000/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.આ પ્રસંગે 108 ના કર્મચારીઓએ ફરજ સાથે માનવતા, ઈમાનદારી અને જવાબદારીની ભાવનાનું પ્રદર્શન કરી સમાજમાં પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં આપાતકાલીન સેવા તરીકે 108 એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓને સારવાર માટે જ નહિ, પરંતુ નાગરિકોની કિંમતી સંપત્તિની સુરક્ષા માટે પણ વિશ્વાસપાત્ર સાબિત થઈ રહી છે.
સાબરકાંઠા જિલ્લાની 108 ના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સંબંધિત સમાચાર
સાબરકાંઠાપ્રાંતિજ-હરસોલ માર્ગ પર ખાડાઓથી છુટકારો અપાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ
3 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર બાયપાસ બ્રિજ પર જળબંબાકાર: ધારાસભ્ય V.D. ઝાલાની લાલ આંખથી તંત્ર અને કોન્ટ્રાક્ટરમાં દોડધામ
4 દિવસ પહેલા
સાબરકાંઠાચાંદીપુરા વાયરસ સામે મોરચો: સાબરકાંઠામાં સ્થિતિની સમીક્ષા માટે ICMR પુડુચેરીની કેન્દ્રીય ટીમ મેદાને
4 દિવસ પહેલા
