સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સહકારી જીન રોડ પર બનેલા અકસ્માતમાં 108 તાત્કાલિક સેવા તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન 108 મા ફરજ બજાવતા ઈ.એમ.ટી. ભાર્ગવકુમાર પટેલ અને પાયલટ રિતેશ પટેલ દ્વારા પોતાની ફરજ સાથે માનવતા અને પ્રામાણિકતાનું અનોખું કાર્ય કર્યું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દી પાસે રહેલી કિંમતી વસ્તુઓ – અંદાજે 2.5 તોલાનો સોનાની ચેઇન, 1 મોબાઈલ ફોન અને 1 ચાવી – કુલ લગભગ રૂ. 2,50,000/- ની કિંમતનો સામાન સુરક્ષિત રીતે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.આ પ્રસંગે 108 ના કર્મચારીઓએ ફરજ સાથે માનવતા, ઈમાનદારી અને જવાબદારીની ભાવનાનું પ્રદર્શન કરી સમાજમાં પ્રામાણિકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં આપાતકાલીન સેવા તરીકે 108 એમ્બ્યુલન્સ માત્ર દર્દીઓને સારવાર માટે જ નહિ, પરંતુ નાગરિકોની કિંમતી સંપત્તિની સુરક્ષા માટે પણ વિશ્વાસપાત્ર સાબિત થઈ રહી છે.
સાબરકાંઠા જિલ્લાની 108 ના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠામાં મેઘતાંડવ: એક કલાકમાં ૨ ઇંચ વરસાદથી હિંમતનગરમાં જળબંબાકારની સ્થિતિ
1 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરના તલાટીઓનો મિજાજ: ૧૪ કામગીરીઓથી મુક્તિ મુદ્દે બહિષ્કાર કર્યો
4 દિવસ પહેલા
સાબરકાંઠાસ્વચ્છતા અભિયાન: સાબરકાંઠાના કલેક્ટરે ઇલોલ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ આંગણવાડી કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લીધી
5 દિવસ પહેલા
