રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
Uncategorized24 નવેમ્બર, 2024| Super Admin

અંબાજી મંદિર માં ૧.૨૧ કરોડ ઉપરાંત નું સોનું દાન માં મળ્યું

અંબાજી મંદિર માં ૧.૨૧ કરોડ ઉપરાંત નું સોનું દાન માં મળ્યું
મુંબઈ ના ૨ માઈ ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે પોતાની શક્તિ પ્રમાણે હોમહાવન ઇત્યાદિ પૂજા અર્ચના કરી હતી ને અંબાજી મંદિર માં લાખો રૂપિયા ના સોના ની ભેટ પણ ધરાવી હતી મુંબઈ ના બે માઈ ભક્તો એ પોતાનું નામ ગુપ્ત રાખી ને અલગ અલગ સોનું ભેટ અર્પણ કર્યું હતું જેમાં એક માઈ ભક્ત એ ૫૨૦ ગ્રામ સોના ની લગડી અંદાજે કિંમત રૂપિયા ૪૧ લાખ ૩૨ હજાર ની મંદીર માં અર્પણ કરી હતી. જ્યારે બીજા એક માઈ ભક્તે એક કિલો સોના ની લગડી અંદાજે કિંમત રૂપિયા ૮૦ લાખ નીઅર્પણ કરાતા મંદિર ના અધિક કલેકટર કૌશિક મોદી તેમજ ટેમ્પલ ઇન્સ્પેકટર પ્રવિણ ગોસ્વામી એ આ સોના નું દાન સ્વીકાર્યુ હતું . જોકે આ બાબતે મંદિર ના અધિક કલેકટરે જણાવ્યું હતું કે સમયાંતરે અંબાજી મંદિર ને માઈ ભક્તિ દ્વારા સોનાચાંદી અને રોકડ રકમ ની મોટી ભેટ સોગાત મળતી રેહતી હોય છે જે હાલ માં અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં પણ માઈ ભક્તો પોતાનું યથાશક્તિ યોગદાન આપે છે ને મોટા ભાગે આવતું મોટું દાન માં દાતાઓ પોતાનું નામ ગુપ્ત રાખતા હોય છે

સંબંધિત સમાચાર