ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેને મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોની ટીમ તેની સંભાળ લઈ રહી છે અને જરૂરી તમામ ટેસ્ટ કરવામાં આવી રહી છે. તેના મગજમાં લોહીનો ગઠ્ઠો છે અને તે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. આ પહેલા પણ કાંબલી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. હવે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેણે ડોક્ટરોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે તેમના કારણે જ તે જીવિત છે. જ્યારે વિનોદ કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારપછી તેને શરીરે તીવ્ર ખેંચાણ હતી. તે બેસી કે ચાલવામાં અસમર્થ હતો. એડમિશન વખતે તેને ઊંઘ પણ આવી રહી હતી. હવે તેના સ્વસ્થ થવાના સંકેતો છે અને પૂર્વ ક્રિકેટર ડોક્ટરો અને તેના ચાહકો સાથે વાત કરતો જોવા મળ્યો હતો. તેના ચહેરા પર ખુશી હતી. તેના એક ચાહકે તેની સારવારનો ખર્ચ ઉઠાવ્યો છે.
વિનોદ કાંબલી એ ડોક્ટરોનો આભાર માન્યો કહ્યું ડોક્ટરોના કારણે જીવિત છું

સંબંધિત સમાચાર
રમતગમતસંજુ સેમસન ICC એવોર્ડ: સંજુ સેમસન એ ઇતિહાસ રચ્યો
20 કલાક પહેલા
રમતગમતવિઝડન એવોર્ડ્સ: મિશેલ સ્ટાર્ક અને દીપ્તિ શર્માને એવોર્ડ મળ્યા, 4 વધુ ભારતીય ખેલાડીઓનો સમાવેશ
22 કલાક પહેલા
રમતગમતરાજસ્થાન રોયલ્સનો પહેલો પરાજય, સનરાઇઝર્સ હૈદરાબાદે શાનદાર જીત નોંધાવી
1 દિવસ પહેલા
રમતગમતઅમદાવાદમાં ચૂંટણીને કારણે BCCI એ IPL 2026 ના સમયપત્રકમાં ફેરફારની જાહેરાત કરી
1 દિવસ પહેલા
