જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને વીણીવીણીને તેમના વતન પાછા મોકલવામાં આવી રહ્યા છે. અગાઉ વડોદરામાંથી એક પ્લેનને રવાના કરી દેવામાં આવ્યું છે. ગતરોજ વડોદરામાંથી ભારતીય વાયુ સેનાનુ વિમાન ભરીને ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને તેમના વતન પાછા મોકલી આપવામાં આવ્યા છે. આ ફ્લાઇટ ઢાકામાં લેન્ડ થનાર હોવાની પ્રાથમિક માહિતી સપાટી પર આવવા પામી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં પણ આ પ્રકારે ડિપોર્ટેશનની કામગીરી ચાલુ રહેશે. તાજેતરમાં રાજ્યભરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢીને તેમના વતન મોકલવાની કામગીરી પોલીસ તથા અન્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત ગેરકાદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓનો પહેલો જથ્થો વડોદરાથી વાયુસેનાના ખાસ વિમાન મારફતે અગાઉ રવાના કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગતરોજ ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓનો દ્વિતિય જથ્થો તેમના વતન જવા રવાના કરવામાં આવ્યો છે. ભારતીય સેનાના ખાસ વિમાનમાં બેસાડીને 250 લોકોનો બાંગ્લાદેશ રવાના કરવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યું કે, સુરત, અમદાવાદ તથા અન્યત્રેથી ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને બસ મારફતે વડોદરા લાવવામાં આવ્યા હતા. તે પૈકી સુરતથી બસ આવી પહોંચી હતી. પરંતુ અમદાવાદ તથા અન્ય જિલ્લાઓમાંથી બસ નહીં આવતા બેઠેલા એકપણને નીચે ઉતરવા દેવામાં આવ્યા ન્હતા. તમામ બસો હરણી એરફોર્સ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તમામને અંદર લઇ જવામાં આવ્યા હતા. અમેરિકા બાદ ભારત દ્વારા મોટા પાયે ગેરકાયદેસર વસવાટ કરતા નાગરિકોને તેમના વતન પરત મોકલવાની કામગીરી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં પણ આ રીતે ડિપોર્ટેશનની કામગીરી ચાલુ રહેશે.
ગુજરાત4 જુલાઈ, 2025
વડોદરા; ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને પાછાં મોકલવામાં આવ્યા

ટેગ્સ:#Vadodara#National Security#Indian Air Force#illegal immigration#human rights concerns#Community Impact#government actions.#Pahalgam terrorist attack#Bangladeshi Citizens#Deportation Operations#Interstate Transport#Law Enforcement Agencies
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
1 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
2 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
3 દિવસ પહેલા
