રખેવાળ
બ્રેકિંગ
પાટણ5 ઑગસ્ટ, 2025

ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરાઈ

ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરાઈ

ઊંઝા નગરમાં રખડતા ઢોરોને લઈ લોકો ત્રાસ પોકારી ઉઠ્યા છે. તાજેતરમાં રખડતા ઢોરને લઈ દાસજ ગામના યુવાને જીવ ગુમાવ્યો હતો. જેને લઈ ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ દ્રારા તાત્કાલિક નિર્ણય લઈ રખડતા ઢોરોને પકડવાનું ટેન્ડર બહાર પાડ્યું છે. જેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ઢોરને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે. ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ દ્રારા છેલ્લા ત્રણ દિવસમાં 110 જેટલા ઢોરને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ઊંઝા પોલીસનો પણ સહકાર મળી રહ્યો છે. તેમજ ઊંઝા પાલિકાના કોર્પોરેટર પણ આ અભિયાનમાં જોડાયા છે.

સંબંધિત સમાચાર