ઊંઝા નગરમાં રખડતા ઢોરોને લઈ લોકો ત્રાસ પોકારી ઉઠ્યા છે. તાજેતરમાં રખડતા ઢોરને લઈ દાસજ ગામના યુવાને જીવ ગુમાવ્યો હતો. જેને લઈ ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ દ્રારા તાત્કાલિક નિર્ણય લઈ રખડતા ઢોરોને પકડવાનું ટેન્ડર બહાર પાડ્યું છે. જેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ઢોરને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે. ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ દ્રારા છેલ્લા ત્રણ દિવસમાં 110 જેટલા ઢોરને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ઊંઝા પોલીસનો પણ સહકાર મળી રહ્યો છે. તેમજ ઊંઝા પાલિકાના કોર્પોરેટર પણ આ અભિયાનમાં જોડાયા છે.
ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરાઈ

સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
10 કલાક પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
10 કલાક પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
12 કલાક પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
12 કલાક પહેલા
