ઊંઝા નગરમાં રખડતા ઢોરોને લઈ લોકો ત્રાસ પોકારી ઉઠ્યા છે. તાજેતરમાં રખડતા ઢોરને લઈ દાસજ ગામના યુવાને જીવ ગુમાવ્યો હતો. જેને લઈ ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ દ્રારા તાત્કાલિક નિર્ણય લઈ રખડતા ઢોરોને પકડવાનું ટેન્ડર બહાર પાડ્યું છે. જેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ઢોરને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે. ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ દ્રારા છેલ્લા ત્રણ દિવસમાં 110 જેટલા ઢોરને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ઊંઝા પોલીસનો પણ સહકાર મળી રહ્યો છે. તેમજ ઊંઝા પાલિકાના કોર્પોરેટર પણ આ અભિયાનમાં જોડાયા છે.
ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરાઈ

સંબંધિત સમાચાર
પાટણવાહન ચોરો સાવધાન! સમી પોલીસે બાતમીના આધારે ચોરીના એક્ટિવા સાથે તસ્કરને દબોચ્યો
2 દિવસ પહેલા
પાટણસમીના મેરામપુરા પાસે સર્જાયો અકસ્માત: મીની બોર બનાવતી વખતે વીજ કરંટ લાગતા શ્રમિકનું મોત, અન્ય એક ગંભીર
2 દિવસ પહેલા
પાટણપાટણમાં શ્રમિકોનો હુંકાર: ભારતીય મઝદૂર સંઘ દ્વારા હક્ક અને અધિકારો માટે કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત
2 દિવસ પહેલા
પાટણપાટણ તાલુકાની મેસર દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર મામલે રજૂઆત કરવી ભારે પડી: પ્રમુખ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો, પંથકમાં ચકચાર
2 દિવસ પહેલા
