ઊંઝા નગરમાં રખડતા ઢોરોને લઈ લોકો ત્રાસ પોકારી ઉઠ્યા છે. તાજેતરમાં રખડતા ઢોરને લઈ દાસજ ગામના યુવાને જીવ ગુમાવ્યો હતો. જેને લઈ ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરાઈ છે. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ અને ઊંઝા પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ દ્રારા તાત્કાલિક નિર્ણય લઈ રખડતા ઢોરોને પકડવાનું ટેન્ડર બહાર પાડ્યું છે. જેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ઢોરને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે. ઊંઝા નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી. પટેલ દ્રારા છેલ્લા ત્રણ દિવસમાં 110 જેટલા ઢોરને પકડી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ઊંઝા પોલીસનો પણ સહકાર મળી રહ્યો છે. તેમજ ઊંઝા પાલિકાના કોર્પોરેટર પણ આ અભિયાનમાં જોડાયા છે.
ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરાઈ

સંબંધિત સમાચાર
પાટણપાટણના વાતાવરણમાં અચાનક પલટો; ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન
10 કલાક પહેલા
પાટણપાટણકા જુગારધામ પર ત્રાટકી LCB; ₹6.82 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સો જેલભેગા
10 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકાની કામગીરી: વોર્ડ નં-3માં ડ્રેનેજ સમસ્યાનો સુખદ અંત
10 કલાક પહેલા
પાટણપાટણના નવીન બસપોર્ટ પર ગંદકીના સામ્રાજ્યને લઈ મુસાફર જનતા ત્રાહિમામ બની
2 દિવસ પહેલા
