રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ12 સપ્ટેમ્બર, 2026| Super Admin

રાધનપુરમાં રેતીના ડમ્પરોની બેફામ અવરજવર: ખાણ-ખનીજ વિભાગની મિલીભગતની ગંભીર આક્ષેપો

રાધનપુરમાં રેતીના ડમ્પરોની બેફામ અવરજવર: ખાણ-ખનીજ વિભાગની મિલીભગતની ગંભીર આક્ષેપો

જેતલપુરા નજીક બનાસ નદીમાંથી રેતભરી આવતા ડમ્પરોમાં ‘તોડપાણી’ થતું હોવાના આક્ષેપથી ખળભળાટ

રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ નજીક બનાસ નદીમાંથી રેતી ભરીને આવતા ડમ્પરોને લઈને ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. સ્થાનિક સ્તરે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, રેતભરીને પસાર થતા કેટલાક ડમ્પરોને રોકી ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કથિત રીતે ‘તોડપાણી’ કરવામાં આવે છે. આ આક્ષેપો સાચા છે કે માત્ર ચર્ચા પૂરતા છે, તે અંગે નિષ્પક્ષ તપાસ થાય તો જ સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ છે. બનાસ નદીમાંથી રેતીના ખનન અને પરિવહન અંગે નિયમો હોવા છતાં જો અધિકારીઓની હાજરીમાં જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને છૂટ મળતી હોય અથવા કથિત હપ્તા વસૂલાત થતી હોય તો તે ગંભીર બાબત ગણાય શું રેતીના ડમ્પરો સામે ખરેખર નિયમ મુજબ કાર્યવાહી થાય છે કે પછી ‘તોડપાણી’ બાદ મામલો થાળે પાડવામાં આવે છે ? આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જેતલપુરા નજીકના રેતી પરિવહનની હકીકત બહાર લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર