હારિજ તાલુકાના અડીયા ગામના દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમએમ બે દિવસીય ધાર્મિક મેળાનો શનિવારે ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે. આ ધાર્મિક મેળાને અનુલક્ષીને દુધેશ્વર મહાદેવ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના ચાર મઠ પૈકી એક અડીયા જાગીરદાર મઠનો ૫૦૦ વર્ષ જૂનો અખાડો અહીં આવેલો છે. આ સ્થળે પ્રાચીન સ્વયંભૂ દુધેશ્વર મહાદેવ પ્રગટ થયા હોવાનો ઐતિહાસિક ઉલ્લેખ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અને વાહનો દ્વારા દર્શન માટે આવતા હોય છે. શ્રાવણ માસમાં ભક્તોએ શિવજીને બીલીપત્ર,જળ અને દૂધના અભિષેક સાથે સુખડીનો પ્રસાદ અપૅણ કરી ધન્યતા અનુભવી હતી. શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે શનિવાર થી શરૂ થયેલા ધાર્મિક મેળામાં બાળકોના મનોરંજન માટે મોટી-નાની ચકડોળ અને ઇલેક્ટ્રિક રાઇડર્સ સહિત ખાણીપીણી ના સ્ટોલની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો સફેદ લુક્તિની ખરીદી માટે કંદોઈના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. અડીયા ગામના યુવા સ્વયંસેવકો મેળાના બે દિવસ દરમિયાન પોતાની સેવા આપી રહ્યા છે. મેળાની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
અડિયા દુધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમ એમ બે દિવસીય ધાર્મિક મેળા નો પ્રારંભ

ટેગ્સ:#North Gujarat#Harij Taluka#Adia Village#Bilipatra Worship#Dudheshwar Mahadev Temple#Shravan Vad Amasa#Bhadarva Sud Ekam#Swayambhu Shiva Darshan#Abhishek Rituals#Sukhdi Prasad Offering
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં જમીન-મશીનરીના નામે રૂ. 2.73 કરોડની ઠગાઈ: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ
1 દિવસ પહેલા
પાટણપાટણના વોર્ડ નં-4 માં ચૂંટણી બહિષ્કારનું રણશિંગું: 'કામ નહીં તો વોટ નહીં' ના લાગ્યા નારા
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીમાં દીક્ષાંત ઉત્સવ : રાજ્યપાલના હસ્તે તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
2 દિવસ પહેલા
પાટણપાટણના સંગ્રામમાં ભાજપના 'કેસરીયા' સજ્જ : ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર
3 દિવસ પહેલા
