સિદ્ધપુર શહેર ભારત માતા કી જય ના નાદથી ગુંજી ઉઠ્યું; જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા સિદ્ધપુર ખાતે નગરપાલિકા થી ઝાંપલી પોળ સુધી શનિવારે તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં ભારતીય સેનાના સન્માન માટે આયોજિત તિરંગા યાત્રાને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી જણાવ્યું હતું કે ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો છે. વિશ્વે પણ ભારતની નોંધ લીધી છે. ઓપરેશન સિંદૂર થકી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના વિજયને ઉજવવા અને લોકોમાં દેશપ્રેમની ભાવના અખંડિત રહે એ હેતુથી આજે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઓપરેશન સિંદૂરના સન્માનમાં કેબિનેટ મંત્રી ની ઉપસ્થિતિ વચ્ચે સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ

ટેગ્સ:#Jammu and Kashmir#Siddhpur#Indian army#National Security#patriotism#Cabinet Minister#Public Demonstration#Historical Significance#National Pride#Operation Sindoor#Tiranga Yatra#Bharat Mata Ki Jai#Tribute to Mother India
સંબંધિત સમાચાર
પાટણHNGUનો મોટો નિર્ણય : યુનિવર્સિટીની મંજૂરી વિના PG કેન્દ્રોમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ
13 કલાક પહેલા
પાટણપાટણ : રિક્ષામાં બેઠેલી વૃદ્ધાને છરી બતાવી દાગીના-રોકડની લૂંટ, મહિલા સહિત ત્રણ સામે ગુનો
14 કલાક પહેલા
પાટણપાટણ પંથકમાં હનીટ્રેપનો આતંક : ફેસબુક-ઇન્સ્ટા પર મિત્રતા કરી લાખો પડાવતી ટોળકી ઝડપાઇ
14 કલાક પહેલા
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
2 દિવસ પહેલા
