પાટણ રેલવેના પ્રથમ ગરનાળા નજીક ભૂગર્ભ ગટરલાઈન ચોકઅપ બનતાં ગંદા પાણી માગૅ રેલાયા

ગરનાળાના માગૅ પરથી પસાર થતાં લોકોને પરેશાની ભોગવવી પડી
શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર - નવાર ચોકઅપ બનતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવા માંગ ઉઠી
પાટણના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન રેલવેના પ્રથમ ગરનાળા નજીક ભૂગર્ભ ગટર લાઈન ચોક અપ બનતાં ભૂગર્ભના ગંદાપાણી ઉભરાઈને ગરનાળાના માગૅ પર રેલાતા માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ સહિત વાહન ચાલકો સાથે વિસ્તારના વેપારીઓ અને આમ જનતા પરેશાન મુશકેલીમા મુકાઈ હતી.
રેલવેના પ્રથમ ગરનાળામા ભૂગર્ભના દુષિત પાણી રેલાવાના કારણે આજુબાજુના વેપારીઓ સહિત માર્કેટયાર્ડના વેપારીઓને અસહ્ય દુર્ગંધનો સામનો કરવાનો વારો આવતા પાલિકા તંત્ર સામે વ્યાપારીઓ અને વાહન ચાલકોએ રોષ વ્યક્ત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર નવાર ચોકઅપ બની ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી.
સંબંધિત સમાચાર
પાટણપાટણ LCBની મોટી કાર્યવાહી: ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ
1 કલાક પહેલા
પાટણપાટણના દેવ દર્શન કોમ્પલેક્ષમાં તસ્કરોનો આતંક: એકસાથે ચાર દુકાનોના તાળા તૂટ્યા
1 કલાક પહેલા
પાટણરાધનપુર કલ્યાણપુરા બ્રિજ પર તંત્રની ઘોર બેદરકારી, ૨ વર્ષથી અંધારપટ છવાયો
1 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકા પંચાયતના નવનિર્વાચિત પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત હોદ્દો ગ્રહણ કર્યો
1 દિવસ પહેલા
