પાલનપુરપુરમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
દેશભરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી વચ્ચે પાલનપુરમાં પણ શ્રી કૃષ્ણ જમોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ હતી. જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મટકી ફોડ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરભરમાં ઠેરઠેર શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરતા સમગ્ર નગર જય રણછોડ માખણચોરના ગગન ભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું.
શોભાયાત્રાનું માર્ગમાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. જ્યાં રસ્તાઓ ઉપર અંદાજીત ૧૫૦ મટકીઓ બાંધવામાં આવી હતી. જે બાંધેલી મટકીઓ ગોવાળિયાઓ પિરામિડ રચી ફોડતા હતા. ત્યારે આજુબાજુ ના મકાનોની અગાસી ઉપરથી લોકો પાણી નાંખતા હતા. ત્યારે મટકી ફોડ કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું. જય ઘોષ વચ્ચે સાંજના સુમારે શોભાયાત્રા નીજ મંદિરે પરત ફરી હતી. અને રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરાયા હતા. આ ઉપરાંત શહેરભરમાં રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થી સમગ્ર નગર કૃષ્ણ ભક્તિમાં લિન બની ગયું હતું.





