રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ23 ઑગસ્ટ, 2025| Super Admin

અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાનીની હત્યાના પ્રત્યાઘાત પાટણમાં ગુંજ્યા

અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાનીની હત્યાના પ્રત્યાઘાત પાટણમાં ગુંજ્યા

કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી કસુરવાર સામે કાયૅવાહી કરવા અને સ્કૂલની બેદરકારી બદલ સ્કૂલ બંધ કરવાની માગ કરી અમદાવાદના મણિનગર સ્થિત સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાનીની હત્યાના વિરોધમાં શુક્રવારે પાટણના સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. તા.20 ઓગસ્ટ 2025ના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર પાટણ અને ઉત્તર ગુજરાતના સિંધી સમાજને હચમચાવી નાખ્યો છે. ત્યારે પાટણ સિધી સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમા સમાજના આગેવાનોએ હત્યારાને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે જ સેવન ડે સ્કૂલની બેદરકારી બદલ શાળા બંધ કરવાની માંગ પણ કરવામાં આવી છે. આગેવાનોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી લાપરવાહી ચલાવી લેવાશે નહીં. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં પાટણ સિંધી સમાજના આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

સંબંધિત સમાચાર