કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા(અંબે ધામ)માં અનુસૂચિત જાતિની દીકરીની કરપીણ હત્યા કરાઈ હતી. જેને લઈને આજે પાલનપુર ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી.કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા(અંબેધામ)માં ગત 30 મી ડિસેમ્બરે અનુસૂચિત જાતિની દીકરી ગોરીબેન ગરવાની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી જાહેરમાં હત્યા કરાઈ હતી. જે બનાવના ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા બનાવને વખોડી કાઢતા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. આ હત્યા કેસમાં તંત્ર દ્વારા આરોપીને છાવરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે એસ.આઈ.ટી.ની રચના કરી ન્યાયિક તપાસની માંગ કરાઈ હતી. આ પ્રસંગે પાલનપુર નગર પાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકી, બાલકૃષ્ણ જીરાલા, અશ્વિન સક્સેના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છમાં થયેલ યુવતીની હત્યાના પાલનપુરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના વડલાપુરા ત્રણ રસ્તા પાસે કાળમુખી કારની ટક્કરે યુવકનું કરુણ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠામુડેઠા પાટિયા પાસે બસ અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર: મોટી જાનહાનિ ટળી, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ગૌરક્ષાનો મહાકુંભ: 54 હજાર સહીઓ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું
2 દિવસ પહેલા
બનાસકાંઠા"કોંગ્રેસને કોંગ્રેસે જ હરાવી": બનાસકાંઠામાં હાર મુદ્દે ગુલાબસિંહ રાજપૂતના આકરા પ્રહાર
2 દિવસ પહેલા
