રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા18 નવેમ્બર, 2024| Super Admin

ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું

ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું

ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડાયું રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે છ પાણ આપવાનું આયોજન સાબરકાંઠા જિલ્લાના ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં ખેડૂતોને રવિ સિઝનમાં સિંચાઈ માટે છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણ છોડવામાં આવ્યું છે. જેને લઈને હિંમતનગર, ઇડર અને વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે. 

આ અંગે સાબરકાંઠા સિંચાઈ વિભાગમાંથી મળેલ માહિતી મુજબ સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સીઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં છ પાણ આપવાના આયોજન પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક છોડવામાં આવ્યું છે. ક્રમશઃ 350 કયુસેક સુધી પાણી છોડાશે. તો ધરોઈ જળાશય 91 ટકા ભરાયો છે જેમાંથી ડાબા કાંઠાની કેનાલ થકી પાણી જિલ્લાના ત્રણ તાલુકાના 93 ગામો પહોંચશે. જેમાં પાણી વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે.

સંબંધિત સમાચાર