પાટણના માખણીયાનો ઓક્સિડેશન પોન્ડનો પાળો તૂટ્યો ખેતરોમાં ગંદા પાણી ફરી વળ્યાં

માખણિયાના ૨૦૦ વીઘા ખેતરોમાં ઊભા પાકને ભારે નુકસાન
પાટણના માખણિયા પરામાં આવેલા આઠ ઓક્સિડેશન પોન્ડ્સ (ભૂગર્ભ ગટરના પાણીના સંગ્રહ કરતા તળાવ) પૈકી એકનો પાળો ફરી તૂટ્તા નજીકના ૨૦૦ વીઘા ખેતરોમાં ગંદા પાણી ફરી વળ્યા છે. જેનાથી ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. પાટણ નગરપાલિકા સંચાલિત આ ઓક્સિડેશન પોન્ડ્સની આસપાસના સાડેસરા પાર્ટીના ખેતરોમાં ખેડૂતોએ કપાસ, બાજરી અને કઠોળ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. પોન્ડ્સમાં ભરાયેલા પાણીનું જમીનમાં શોષણ ન થવા અને શહેરની ભૂગર્ભ ગટરોનું ૪૦ MLD પાણી ઠલવાતું હોવાથી તેની સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ હતી, જેના પરિણામે પાળો તૂટ્યો અને ગંદા પાણી ખેતરોમાં ઘૂસી ગયા. આનાથી તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. ખેડૂત જયેશ પટેલ સહિત અન્ય ખેડૂતોના જણાવ્યા અનુસાર,આ ઓક્સિડેશન પોન્ડ્સની પાળીઓ છેલ્લા ઘણા મહિનાઓથી વારંવાર તૂટે છે, જેના કારણે ખેડૂતોને સતત નુકસાન વેઠવું પડે છે.
આ બાબતે ખેડૂતોએ પાટણ નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ખેડૂતોએ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ઓક્સિડેશન પોન્ડ્સની ફરતે દિવાલ બનાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે દિવાલ બનાવવાથી આ વારંવાર થતી સમસ્યાનો ઉકેલ આવી શકે છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે, અગાઉ પાટણના આ ઓક્સિડેશન પોન્ડ્સમાં આવતા પાણીનો આવરો વધારે હોવાથી અને ખેડૂતો તથા માખણિયાના રહેવાસીઓને નુકસાન ન થાય તે માટે નગરપાલિકા દ્વારા આ પાણીનો અડધો ભાગ બહુચર પમ્પિંગ સ્ટેશનથી સિંચાઈ વિભાગની કેનાલમાં છોડવામાં આવતો હતો આનાથી તળાવનું લેવલ જળવાઈ રહેતું હતું અને સમસ્યા ટાળી શકાતી હતી. જોકે આ બાબતે પાલીકાના ચિફ ઓફિસરે સ્થળ મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે.
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
4 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
4 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
4 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
6 દિવસ પહેલા
