બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી-૨૦૨૪ કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક કેન્દ્ર સરકાર દ્વારા બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાર સ્થળોએ "આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવ - ૨૦૨૪નું આયોજન કરાયું હતું. તા.૨૮ નવેમ્બર ૨૦૨૪થી ઉમરગામ, વલસાડથી શરૂ થયેલા આદિવાસી અમૃત્તકુંભ રથયાત્રાનું સમાપન આગામી તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અંબાજી ખાતે કરાશે. આગામી તા.૧૦ અને ૧૧ ડિસેમ્બરના રોજ બે દિવસીય આદિવાસી જન ઉત્કર્ષ મહોત્સવનું આયોજન હેલિપેડ ગ્રાઉન્ડ, અંબાજી ખાતે કરાશે. સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.






