સાબરકાંઠા જિલ્લાના હિમતનગર તાલુકાના માથાસુલિયા ગામે તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી એક મોટી ચોરીને અંજામ આપ્યો છે. ઉનાળાની ઋતુમાં રાત્રિના સમયે આખો પરિવાર ઘરની ઓસરીમાં સૂતો હતો, ત્યારે તસ્કરોએ રસોડાની લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ ₹8 લાખની મત્તા ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. વહેલી સવારે પરિવાર જાગ્યો ત્યારે ચોરી થઈ હોવાની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિમતનગરના માથાસુલિયા ગામે સૂતેલા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, ₹8 લાખની ચોરી

ટેગ્સ:#Himatnagar
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાની જિલ્લાની કોર્ટોમાં બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન
4 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના ૭ શંકાસ્પદ કેસ
6 દિવસ પહેલા
સાબરકાંઠાચાંદીપુરા વાયરસ: સાબરકાંઠા કલેક્ટર એક્શનમાં, વીડિયો કોન્ફરન્સ યોજી
1 અઠવાડિયા પહેલા
