સાબરકાંઠા જિલ્લાના હિમતનગર તાલુકાના માથાસુલિયા ગામે તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી એક મોટી ચોરીને અંજામ આપ્યો છે. ઉનાળાની ઋતુમાં રાત્રિના સમયે આખો પરિવાર ઘરની ઓસરીમાં સૂતો હતો, ત્યારે તસ્કરોએ રસોડાની લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ ₹8 લાખની મત્તા ચોરીને રફુચક્કર થઈ ગયા હતા. વહેલી સવારે પરિવાર જાગ્યો ત્યારે ચોરી થઈ હોવાની જાણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસને જાણ કરાતા સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિમતનગરના માથાસુલિયા ગામે સૂતેલા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, ₹8 લાખની ચોરી

ટેગ્સ:#Himatnagar
સંબંધિત સમાચાર
સાબરકાંઠાખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
3 દિવસ પહેલા
સાબરકાંઠાઐતિહાસિક ઈડરિયો ગઢ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી
6 દિવસ પહેલા
સાબરકાંઠાપ્રાંતિજ પોલીસ એક્શન મોડમાં: ૧૭૫ ગ્રામ ગાંજા સાથે એક ઇસમ પકડાયો, NDPS હેઠળ ગુનો નોધાયો
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન: ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું
1 અઠવાડિયા પહેલા
