રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રમતગમત2 જૂન, 2025| Super Admin

શ્રેયસ ઐયરે અડધી સદી ફટકારીને પંજાબને ફાઇનલમાં પહોંચાડી ઇતિહાસ રચ્યો

શ્રેયસ ઐયરે અડધી સદી ફટકારીને પંજાબને ફાઇનલમાં પહોંચાડી ઇતિહાસ રચ્યો

આઈપીએલ 2025 ના ક્વોલિફાયર-2 માં, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું, જ્યાં તેનો સામનો RCB સામે થશે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરીને મેચમાં 203 રન બનાવ્યા હતા, ત્યારબાદ શ્રેયસ ઐયરની અડધી સદીના કારણે પંજાબે સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. તેમના સિવાય નેહલ વાઢેરાએ પણ મેચમાં જોરદાર બેટિંગ કરી હતી. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સ ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. હવે તેમની કેપ્ટનશીપમાં ટીમ ફાઇનલમાં પહોંચી છે. અગાઉ, દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2020 ની ફાઇનલમાં અને કોલકાતા નાઈટ રાઇડર્સે આઈપીએલ 2024 માં ઐયરની કેપ્ટનશીપમાં પ્રવેશ કર્યો હતો. ઐયર આઈપીએલમાં ત્રણ અલગ અલગ ટીમોને ફાઇનલમાં પહોંચાડનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. તેમના પહેલાં કોઈ આ કરી શક્યું ન હતું. ઘાતક બોલર જસપ્રીત બુમરાહની એક ઓવરમાં 20 રન બનાવ્યા. તેણે મેચમાં કુલ 38 રનનું યોગદાન આપ્યું. વાઢેરાએ 29 બોલમાં 48 રનની ઇનિંગ રમી. તેણે પંજાબની ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી. શ્રેયસ ઐયર ક્રીઝના એક છેડે મજબૂત રહ્યો. તેણે 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ઐયરે ૪૧ બોલમાં ૮૭ રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે. મુંબઈના બોલરો ખરાબ રીતે ફ્લોપ રહ્યા અને સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ટીમ તરફથી અશ્વિની કુમારે સૌથી વધુ બે વિકેટ લીધી. પંજાબ કિંગ્સની ટીમે શાનદાર રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો

સંબંધિત સમાચાર