રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
મનોરંજન21 જાન્યુઆરી, 2025| Super Admin

ડિસ્ચાર્જ બાદ પહેલીવાર જોવા મળ્યો સૈફ અલી ખાન, રહેઠાણ બદલ્યું, બીજા ઘરમાં થયો શિફ્ટ

ડિસ્ચાર્જ બાદ પહેલીવાર જોવા મળ્યો સૈફ અલી ખાન, રહેઠાણ બદલ્યું, બીજા ઘરમાં થયો શિફ્ટ

હુમલાના 5 દિવસ બાદ સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાંથી પોતાના ઘરે પરત ફર્યો છે. ડિસ્ચાર્જ થયા બાદ અભિનેતા સૈફ અલી ખાનનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે, જેમાં પોલીસ તેની સુરક્ષા કરતી અને ઘરની અંદર લઈ જતી જોવા મળી રહી છે. અભિનેતા પર 16 જાન્યુઆરી, ગુરુવારે રાત્રે એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં અભિનેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. હવે હુમલા બાદ બોલિવૂડ એક્ટર સૈફનો પહેલો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે એકદમ ડેશિંગ જોવા મળી રહ્યો છે. આખરે 21 જાન્યુઆરી, મંગળવારે સૈફને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ થયા બાદ સૈફ અલી ખાનને જોઈને લોકો તેની હિંમતના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેના લુકને લઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં એક્ટર સૈફ સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો. તેણે કાળા સનગ્લાસ પહેર્યા હતા. કરીના કપૂર ખાન-સૈફ અલી ખાન અને તેમનો પરિવાર છેલ્લા અઠવાડિયેથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે જ્યારે એક ઘુસણખોર તેમના ઘરમાં ઘૂસી ગયો અને અભિનેતા પર હુમલો કર્યો. આ આઘાતજનક ઘટનાએ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ તેમજ દેશના નેતાઓને ચિંતામાં મૂકી દીધા હતા. સૈફ પર છરી વડે છ વાર કરવામાં આવ્યા હતા. સર્જરી દરમિયાન તેના શરીરમાંથી ચાકુનો ટુકડો પણ કાઢી નાખવામાં આવ્યો હતો. હવે પાંચ દિવસ બાદ અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સંબંધિત સમાચાર