રાજકોટ; જામકંડોરણાના પાદરીયા ગામમાં તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત

રાજકોટના જામકંડોરણાના પાદરીયા ગામમાં 3 બાળકોના મોત થયા છે. જેમાં પાદરીયા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. તેમાં ખેત મજૂરીએ આવેલા મજૂરોના બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. તથા મામલતદાર અને PI સહિત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે. તરવૈયા દ્વારા ત્રેણય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ત્રણેય બાળકોના મૃતદેહને જામકંડોરણા હોસ્પિટલ ખસેડાયા છે. ખેત મજૂરોના ત્રણ બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
બાળકો આજે સવારે તળાવમાં ન્હાવા ગયા હતા; ઉલ્લેખનીય છે કે આ બાળકો આજે સવારે તળાવમાં ન્હાવા ગયા હતા. ન્હાતી વખતે અચાનક તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. જ્યારે બાળકો ડૂબ્યા હોવાની જાણ થતાં આસપાસના લોકો અને તરવૈયાઓને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, લાંબા સમયની શોધખોળ બાદ ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં મૃતક ભાવેશ ડાંગી (ઉં. 6), હિતેશ ડાંગી (ઉં. 8) અને નીતેષ માવી (ઉં.7) જેમાંથી બે બાળકો સગાભાઇ હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Emergency Response#rescue operations#Victim Identification#Child Safety#Water Safety Awareness#Rajkot Incident#Drowning Tragedy#Padaria Village#Jamkandorana#Agricultural Laborers#Fire Department Involvement#Mourning Families#Pond Accident#Local Community Reaction
સંબંધિત સમાચાર
ગુજરાતલાઇફગાર્ડ દેવદૂત બનીને દરિયામાં ડૂબતી છોકરીને બચાવી
6 દિવસ પહેલા
ગુજરાતરસ્તો ક્રોસ કરી રહેલી માતા-પુત્રીને બાઇકે કચડી, 6 વર્ષની ધ્વનીનું કરુણ મોત
1 અઠવાડિયા પહેલા
ગુજરાત226 કરોડ રૂપિયાના 'ડર્ટી ક્રિપ્ટો' નેટવર્કનો પર્દાફાશ, ચાર્જશીટમાં ડ્રગ્સથી લઈને આતંકવાદી ભંડોળ સુધીના મોટા કૌભાંડોનો ખુલાસો
1 અઠવાડિયા પહેલા
ગુજરાતનેપાળ દુર્ઘટના વચ્ચે વડોદરાનું NRI દંપતી ગુમ, પરિવારે મદદ માટે અપીલ કરી
1 અઠવાડિયા પહેલા
