રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ3 જાન્યુઆરી, 2025| Super Admin

પાટીદાર સમાજની દિકરીનું સરધસ કાઢવાના મામલે પાટણ પાટીદાર સમાજ અને પાટણ ધારાસભ્ય ખફા

પાટીદાર સમાજની દિકરીનું સરધસ કાઢવાના મામલે પાટણ પાટીદાર સમાજ અને પાટણ ધારાસભ્ય ખફા
મુખ્યમંત્રી ને પત્ર લખી કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરી ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહી ની માગ કરાઈ: તાજેતરમાં અમરેલી શહેરમાં પાટીદાર સમાજની દિકરીને રાજકીય હાથો બનાવી માત્ર ટાઈપીંગ કરવાના ગુના હેઠળ અટક કરી રાત્રીના સમયે પોલીસ દ્વારા તેણીની ધરપકડ કરી દિકરીના સન્માનને ઠેસ પહોંચે તે રીતે આ દિકરીનું સ્થાનિક રાજકીય નેતાગીરીના ઈશારે અમરેલી પોલીસ ધ્વારા જાહેરમાં હીસ્ટ્રશીટર ગુનેગાર જેમ સરઘસ કાઢી દિકરીનું તથા સમસ્ત પાટીદાર સમાજનું ઘોર અપમાન કરેલ છે. રાજયના મુખ્યમંત્રી પદે પાટીદાર સમાજના સન્માનીય વ્યકિત હોવા છતાં ધૃત રાષ્ટ્રની જેમ દિકરીના ચીરહરણનો તમાશો જોઈ હજુ સુધી સાચા ગુનેગારો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આ ધટના ને આજે ૩ દિવસ થવા છતાં માત્ર ટાઈપીંગના ગુના હેઠળ અટક કરાયેલા દિકરીને  જામીન પણ આપવામાં આવેલ નથી તો સત્વરે દિન-૨ માં દિકરી ઉપરના તમામ કેસ પરત લઈ નિર્દોશ જાહેર કરવામાં નહી આવે અને દિકરીના સન્માનને ઠેસ પહોંચાડનારા સાચા ગુનેગારો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં નહી આવે તો સમસ્ત પાટીદાર સમાજ, પાટણ અને કિશાન સેના ધ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે દિકરીના સન્માનમાં તેને ન્યાય અપાવવા લડત આપવામાં આવશે તેવી ચિમકી ઉચચારતુ આવેદનપત્ર પાટણ કલેકટર ને આપવામાં આવ્યું હતું તો પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પણ આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી મુખ્યમંત્રી ને પત્ર લખી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર