NHAI મંજૂરી વિના બાંધકામ કે NA નહીં અને ઉલ્લંઘન કરનાર અધિકારી જવાબદાર
પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 68 (રાધનપુર-પાટણ સેક્શન) ને ફોર-લેન કરવાની કામગીરી અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ પ્રોજેક્ટ રૂટ પર આવતા 24 ગામોની જમીન પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના પરામર્શ વિના જમીન વપરાશ ફેરફાર (NA), ગણોત ધારાની મંજૂરીઓ કે નવી વિકાસલક્ષી પરવાનગીઓ આપવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું જાહેર હિત અને સરકારી નાણાંનો વ્યય અટકાવવા માટે લેવાયું છે.NHAI દ્વારા રાધનપુર-પાટણ સેક્શન (NH-68, કિમી 0.000 થી કિમી 52.600) ને ફોર-લેન કરવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આ હાઈવે પ્રોજેક્ટનું સૂચિત અલાઈનમેન્ટ પાટણ જિલ્લાના રાધનપુર, સમી, હારીજ અને પાટણ તાલુકાના કુલ 24 ગામોની સીમમાંથી પસાર થાય છે. હાલમાં આ પ્રોજેક્ટ માટે સત્તાવાર સર્વે નંબરો નક્કી કરવાની ડીપીઆર (DPR) ની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેથી ભવિષ્યમાં જમીન સંપાદનના વળતરની રકમ બિનજરૂરી રીતે ન વધે.આ આદેશ હેઠળ રાધનપુર તાલુકાનાઆ આદેશ હેઠળ રાધનપુર તાલુકાના શિનાડ, નાનાપુરા, ઘરવડી અને કમાલપુર (સાતુન) ગામોનો સમાવેશ થાય છે.
સમી તાલુકાના દાદર ગામ તેમજ હારીજ તાલુકાના ખાખલ, જસવંતપુરા, રગુનાથપુરા, રોડા, વાંસા, માંસા અને દુનાવાડા ગામની જમીનો પર આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત,પાટણ તાલુકાના ખાનપુરડા, દૂધારામપુરા, હનુમાનપુરા, વડલી, અનાવાડા, ગોલાપુર અને રાજપુર ગામ તેમજ પાટણ શહેર વિસ્તારના બકરાતપુર, સાડેસર પાટી, ગુંગડીપાટી, હાંસાપુર અને સમાલપાટી વિસ્તારના સર્વે નંબરોને પણ આ સૂચના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.જિલ્લા કલેક્ટર કચેરીના આદેશ અનુસાર, સૂચિત અલાઈનમેન્ટમાં આવતા તમામ 24 ગામોના વિસ્તારોમાં NHAI ના પૂર્વ પરામર્શ કે મંજૂરી વિના કોઈપણ પ્રકારની નવી બાંધકામ પરવાનગી કે જમીન ફેરફારની પ્રક્રિયા કરી શકાશે નહીં. જો કોઈ કચેરી કે અધિકારી દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન કરીને મંજૂરી આપવામાં આવશે અને તેના કારણે ભવિષ્યમાં જમીન સંપાદન વળતરની રકમમાં વધારો થશે, તો તેની તમામ નાણાકીય જવાબદારી મંજૂરી આપનાર સંબંધિત અધિકારી, શાખા કે કચેરીની રહેશે. આ બાબતે તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, જિલ્લા આયોજનઅધિકારી,નગર નિયોજક,ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીઓને કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે.





