રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 માર્ચ, 2026| Super Admin

આક્રોશ : પાલનપુરમાં પેન્શનરોની વિશાળ રેલી, 'કાળો કાયદો' પરત ખેંચવા માંગ

આક્રોશ : પાલનપુરમાં પેન્શનરોની વિશાળ રેલી, 'કાળો કાયદો' પરત ખેંચવા માંગ
પડતર પ્રશ્નોને લઈને હવે બનાસકાંઠા જિલ્લાના પેન્શનર્સ એસોસિએશને પણ બાંયો ચડાવી છે. વેલીડેશન એક્ટ પરત ખેંચવાની માંગ સાથે આજે પેન્શનરોએ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કેન્દ્ર સરકારે ગત વર્ષે પાછલા બારણે વેલીડેશન એક્ટ પસાર કર્યો હતો. જેનાથી જૂના અને નવા પેન્શનધારકો વચ્ચે અસમાનતા સર્જાઈ રહી હોવાનું જણાવી પેંશનરોએ તેને કાળો કાયદો ગણાવ્યો છે. ત્યારે પેન્શનરોમાં ભેદભાવ ઉભો કરતા કાળા કાયદાને પરત ખેંચવાની માંગ સાથે આજે બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશને રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. વેલીડેશન એક્ટ પરત ખેંચવા ઉપરાંત કોરોના સમયનું 18 મહિનાનું એરિયર્સ અને 8 મું પગાર પંચ જાહેર કરવા સહિત ની પડતર માંગણીઓને લઈને પેંશનરોએ વિરોધ જતાવ્યો હતો. જોકે, પોતાની પડતર માંગણીઓ નહિ સંતોષાય તો પેન્શનરોએ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.  

સંબંધિત સમાચાર