સપ્તાહમાં ગૌવંશ પર બીજો એસિડ એટેક: ખેમાણા પાસે છાશવારે ગૌવંશ પર થતા એસિડ એટેક સામે ગૌ ભક્તોએ ભારે ઉભરો ઠાલવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં ગૌ માતા પર એસિડ એટેકની બીજી ઘટના સામે આવી છે. અત્યાર સુધીમાં 7 જેટલી ગાયો પર એસિડ એટેક થયો છે. જેમાં 2 નંદીના મોત થયા હોવાનું જણાવી ગૌભક્તોએ એસિડ છાંટવામાં આવતો નથી પણ રીતસર ગૌમાતા પર એસિડ રેડવામાં આવે છે. જેથી ગાય માતાઓની અરેરાટીભરી સ્થિતિ જોઈ ગૌભક્તોએ એસિડ એટેક કરનારાઓને ઝડપી લેવાની માંગ કરી હતી. જોકે, અબોલ જીવો પર એસિડ નાખી અધમ કૃત્ય આચરનાર તત્વો પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસ સત્વરે આવા માનસિક વિકૃતિ ધરાવતા નઠારા તત્વોને ઝડપી લે તેવી માંગ જોર પકડી રહી છે.- હોમ
- /Uncategorized
- /ખેમાણા પાસે ગૌમાતા પર વધુ એકવાર એસિડ એટેકથી આક્રોશ
Uncategorized27 નવેમ્બર, 2024
ખેમાણા પાસે ગૌમાતા પર વધુ એકવાર એસિડ એટેકથી આક્રોશ

સપ્તાહમાં ગૌવંશ પર એસિડ એટેકના બીજા બનાવથી જીવદયાપ્રેમીઓ લાલઘૂમ
પાલનપુર તાલુકાના ખેમાણા ગામ પાસે કોઈ નરાધમ તત્વો દ્વારા વધુ એક ગૌ માતા પર એસિડ એટેક કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક જ સપ્તાહમાં ગૌ માતા પર એસિડ એટેકનો બીજો બનાવ બનતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ ની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે ગૌભક્તોએ એસિડ એટેક કરનારાઓને નશ્યત કરવાની માંગ કરી છે.
ખેમાણા પાસે ગત ગુરુવારે અજાણ્યા શખ્સોએ ગાય માતા ઉપર એસિડ નાખ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. ગાય માતા ઉપર એસિડ રેડતા ગાય માતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ખેમાણા ગામના ગ્રામજનોએ ઓનલાઇન પશુ સેવા કેન્દ્રમાં ફોન કરતાં ડોકટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરો દ્વારા ગાય માતાની સારવાર શરૂ કરવામાં આવી હતી.
દરમિયાન ફરીએકવાર ગૌ માતા પર એસિડ એટેક થયો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. વારંવાર ગૌવંશ પર થતા એસિડ એટેકને પગલે ગ્રામજનો એ પોલીસને જાણ કરી હતી. ગૌ ભક્તોએ વારંવાર થતા એસિડ એટેક સામે ઉગ્ર રોષ ઠાલવી એસિડ નાખનાર શખ્સોને પકડીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.
સપ્તાહમાં ગૌવંશ પર બીજો એસિડ એટેક: ખેમાણા પાસે છાશવારે ગૌવંશ પર થતા એસિડ એટેક સામે ગૌ ભક્તોએ ભારે ઉભરો ઠાલવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં ગૌ માતા પર એસિડ એટેકની બીજી ઘટના સામે આવી છે. અત્યાર સુધીમાં 7 જેટલી ગાયો પર એસિડ એટેક થયો છે. જેમાં 2 નંદીના મોત થયા હોવાનું જણાવી ગૌભક્તોએ એસિડ છાંટવામાં આવતો નથી પણ રીતસર ગૌમાતા પર એસિડ રેડવામાં આવે છે. જેથી ગાય માતાઓની અરેરાટીભરી સ્થિતિ જોઈ ગૌભક્તોએ એસિડ એટેક કરનારાઓને ઝડપી લેવાની માંગ કરી હતી. જોકે, અબોલ જીવો પર એસિડ નાખી અધમ કૃત્ય આચરનાર તત્વો પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસ સત્વરે આવા માનસિક વિકૃતિ ધરાવતા નઠારા તત્વોને ઝડપી લે તેવી માંગ જોર પકડી રહી છે.
સપ્તાહમાં ગૌવંશ પર બીજો એસિડ એટેક: ખેમાણા પાસે છાશવારે ગૌવંશ પર થતા એસિડ એટેક સામે ગૌ ભક્તોએ ભારે ઉભરો ઠાલવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં ગૌ માતા પર એસિડ એટેકની બીજી ઘટના સામે આવી છે. અત્યાર સુધીમાં 7 જેટલી ગાયો પર એસિડ એટેક થયો છે. જેમાં 2 નંદીના મોત થયા હોવાનું જણાવી ગૌભક્તોએ એસિડ છાંટવામાં આવતો નથી પણ રીતસર ગૌમાતા પર એસિડ રેડવામાં આવે છે. જેથી ગાય માતાઓની અરેરાટીભરી સ્થિતિ જોઈ ગૌભક્તોએ એસિડ એટેક કરનારાઓને ઝડપી લેવાની માંગ કરી હતી. જોકે, અબોલ જીવો પર એસિડ નાખી અધમ કૃત્ય આચરનાર તત્વો પોલીસ પકડથી દૂર છે. ત્યારે પોલીસ સત્વરે આવા માનસિક વિકૃતિ ધરાવતા નઠારા તત્વોને ઝડપી લે તેવી માંગ જોર પકડી રહી છે.સંબંધિત સમાચાર
Uncategorizedરશિયાએ 2026 માં યુક્રેન પર સૌથી મોટો હુમલો કર્યો, 15 લોકો માર્યા ગયા
1 મહિના પહેલા
Uncategorizedપાલનપુરમાં સુવર્ણ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી યુજીસી કાયદો નાબૂદ કરવાની માંગ કરાઈ
1 મહિના પહેલા
Uncategorizedઅજિત પવારના મૃત્યુ પર પીએમ મોદીનું પહેલું નિવેદન, જાણો તેમણે શું કહ્યું...
2 મહિના પહેલા
Uncategorizedપાલનપુરમાં એલ.સી.બી.એ પરપ્રાંતીય દારૂની હેરાફેરી કરતી અમદાવાદની ચાર મહિલાઓ ઝડપાઈ
2 મહિના પહેલા
