રાધનપુરના ગંજબજાર આસપાસની કેટલીક દુકાનોમાં ગરીબોને સરકારી યોજનામાં મળતો ઘઉં અને ચોખાનો મોટાપાયે કાળાબજાર ચાલી રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગરીબોના હકનું અનાજ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. લોકોમાં ચર્ચા છે કે આખો કાળોબાર કોઈના આશીર્વાદ વગર શક્ય નથી રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન તેમજ જવાબદાર પદાધિકારીઓ આ બાબતે અજાણ છે કે, પછી આંખ આડા કાન કરી રહ્યા છે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. સાથે જ મામલતદાર કચેરીની ભૂમિકા અંગે પણ અનેક શંકાઓ વ્યક્ત થઈ રહી છે. આક્ષેપો મુજબ સરકારી અનાજ રાધનપુર GIDC વિસ્તારમાં આવેલા ખાનગી ગોડાઉનોમાં પહોંચાડવામાં આવે છે. અને ત્યાંથી મોટા પાયે ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે. જો આ વાતોમાં સત્ય હોય તો ગરીબોના મોઢામાંથી કોળિયો છીનવીને ભ્રષ્ટાચારનો મોટો ખેલ રમાઈ રહ્યો છે. હવે પ્રશ્ન એ છે કે, જિલ્લા પુરવઠા તંત્ર, મામલતદાર કચેરી અને ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે કડક તપાસ કરશે કે, પછી હપ્તા સિસ્ટમના આક્ષેપો વચ્ચે ફાઈલોમાં જ બધું દબાઈ જશે ? ગરીબોના હક્કના અનાજની લૂંટ કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાગ ઉઠી રહી છે.
રાધનપુરમાં ગરીબોના અનાજની ખુલ્લેઆમ લૂંટ ? કાળાબજારના કાળા ખેલ પાછળ કોનો હાથ ?

ટેગ્સ:#patan
સંબંધિત સમાચાર
પાટણપાટણ શંકાસ્પદ લાલ ચટણીનો ૬૭૮ કિલોગ્રામ જથ્થો FDCA દ્વારા સીઝ
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની વ્હાલા-દવલાની નીતિ: ઇન્દ્રપુરી સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાના મામલે આક્ષેપ
3 દિવસ પહેલા
પાટણકેરળના શિક્ષક ગુરુ પ્રસાદને સસ્પેન્ડ કરવા મામલે પાટણમાં વિરોધ દર્શાવ્યો
4 દિવસ પહેલા
પાટણસિદ્ધપુર હાઈવે પર મગફળીના ભૂંસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
4 દિવસ પહેલા
