રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા2 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસાના ખાડિયા વિસ્તાર નજીક દુકાનમાં રાત્રે દારૂની મહેફિલ : સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ

ડીસાના ખાડિયા વિસ્તાર નજીક દુકાનમાં રાત્રે દારૂની મહેફિલ : સ્થાનિક વેપારીઓ ત્રાહિમામ

ડીસાના જુના શાકમાર્કેટ નજીક આવેલા ખાડિયા વિસ્તાર પાસેના એક શોપિંગ સેન્ટરની દુકાનના ઉપરના ભાગે મોડી રાત્રે નિયમિતપણે દારૂની મહેફિલ જામતી હોવાની ફરિયાદો ઉઠી છે. આ પ્રવૃત્તિને કારણે સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ ભારે પરેશાન થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, રાત્રીના સુમારે કેટલાક અસામાજિક તત્વો અહીં એકઠા થાય છે અને દારૂ-બિયરની પાર્ટીઓ યોજે છે. મહેફિલ બાદ આ તત્વો દારૂ અને બિયરની ખાલી બોટલો તેમજ અન્ય કચરો ત્યાં જ ફેંકી દે છે. ​રાત્રે થતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે સવારે દુકાન ખોલવા આવતા વેપારીઓને ગંદકી અને દારૂની તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડે છે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, આ તત્વોની દાદાગીરી અને ગંદકીથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તેમનો વેપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે.​સ્થાનિક વેપારીઓએ આ મામલે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા અને આવા તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે. નશાખોરીની આ પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં આવે અને વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.    

સંબંધિત સમાચાર