નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૨ લાખથી વધુ પરિવારોએ વીજળી વેચીને ₹૪૨૧ કરોડની કમાણી કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિવારોએ 'પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના' હેઠળ ઉત્પન્ન થતી વધારાની વીજળી વેચીને આ રકમ કમાઈ છે , જે પ્રતિ પરિવાર સરેરાશ ₹૩૫૦૦ ની વાર્ષિક આવક બરાબર છે.
મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે જુલાઈ ૨૦૨૬ માં ઘરોમાં ૫૦૬,૦૦૦ રૂફટોપ સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધુ માસિક આંકડો છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાભાર્થીઓને ₹૨૮,૦૨૪ કરોડની સબસિડીનું વિતરણ કરવામાં આવ્યું છે. પરિણામે, આશરે ,૧.૯ મિલિયન પરિવારોના વીજળી બિલ શૂન્ય થઈ ગયા છે.
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ, દેશભરમાં ૫૦.૦૬ લાખથી વધુ ઘરોમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સિદ્ધિ યોજના શરૂ થયાના માત્ર બે વર્ષમાં પ્રાપ્ત થઈ છે, જ્યારે પાછલા ૧૦ વર્ષમાં ફક્ત ૭.૯૪ લાખ રૂફટોપ સોલાર પ્લાન્ટ સ્થાપિત થયા હતા.
મંત્રાલયે જણાવ્યું હતું કે રૂ.૭૫,૦૨૧ કરોડની આ યોજના હેઠળ રૂફટોપ સોલાર ક્ષમતાના વિસ્તરણમાં વધારો થયો છે. માહિતી અનુસાર, છેલ્લા નવ મહિનામાં આ સોલાર પ્લાન્ટ્સની સ્થાપનાની ગતિ ૩.૨ ગણી વધી છે. વધુમાં, દરરોજ સ્થાપિત રૂફટોપ સોલાર પ્લાન્ટની સંખ્યા ઓક્ટોબર ૨૦૨૫માં આશરે ૫,૦૩૮ થી વધીને જુલાઈ ૨૦૨૬માં ૧૬,૩૨૮ થઈ ગઈ છે.
વીજળી વેચીને ૧૨ લાખથી વધુ પરિવારોએ ૪૨૧ કરોડ રૂપિયા કમાયા





