ગુજરાતમાં કાળઝાળ ગરમીથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી ચોમાસાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતમાં મેંગ્લોર સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૧૫ જૂનની આસપાસ ગુજરાતમાં પણ વિધિવત ચોમાસું બેસી શકે છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ ભાગો, ગોવા અને કર્ણાટક તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યારે મુંબઈમાં પણ તે સમયસર દસ્તક આપશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ નોંધાયો છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૦.૭ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે, વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે.
ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગની 7 દિવસની આગાહી

સંબંધિત સમાચાર
ગુજરાતઆંતરરાષ્ટ્રીય માનવ તસ્કરો દ્વારા ફસાયેલી બે બહેનોને લાઓસ મોકલવામાં આવી
1 દિવસ પહેલા
ગુજરાતPM Modi Surat Visit: સુરત અને દમણને રૂ. 21,000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ
1 દિવસ પહેલા
ગુજરાતPM મોદી સુરત અને દમણની મુલાકાત લેશે, ₹22,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
1 દિવસ પહેલા
ગુજરાતપાટણમાં AC ફાટ્યું, આખા ઘરમાં આગ લાગી; LIB પોલીસકર્મી જીવતી ભડથું થઈ
1 દિવસ પહેલા
