ગુજરાતમાં કાળઝાળ ગરમીથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી ચોમાસાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતમાં મેંગ્લોર સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૧૫ જૂનની આસપાસ ગુજરાતમાં પણ વિધિવત ચોમાસું બેસી શકે છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ ભાગો, ગોવા અને કર્ણાટક તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યારે મુંબઈમાં પણ તે સમયસર દસ્તક આપશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ નોંધાયો છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૦.૭ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે, વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે.
ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગની 7 દિવસની આગાહી

સંબંધિત સમાચાર
ગુજરાતભાવનગરના ખેડૂતે કરી કમાલ! અવોકાડોની ખેતીથી લાખોની કમાણી | Avocado Farming Gujarat
6 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં છઠ પૂજા માટે ખોદવામાં આવેલા ખાડામાં બે માસુમો પડી જતા બંનેના મોત
1 અઠવાડિયા પહેલા
ગુજરાતઅમરેલીમાં દર્દી બીમાર થતા JCB દ્વારા હોસ્પિટલમાં પહોંચાડયો
1 અઠવાડિયા પહેલા
ગુજરાત2008ના અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં હાઇકોર્ટનો ચુકાદો, 38 આતંકવાદીઓને ફાંસીની સજા યથાવત
1 અઠવાડિયા પહેલા
