ગુજરાતમાં કાળઝાળ ગરમીથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી ચોમાસાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતમાં મેંગ્લોર સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ૧૫ જૂનની આસપાસ ગુજરાતમાં પણ વિધિવત ચોમાસું બેસી શકે છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના વધુ ભાગો, ગોવા અને કર્ણાટક તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જ્યારે મુંબઈમાં પણ તે સમયસર દસ્તક આપશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ નોંધાયો છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૦.૭ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે, વરસાદનું જોર થોડું ઘટશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે.
ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગની 7 દિવસની આગાહી

સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતમાં જૈશના પાંચ વધુ આતંકવાદીઓની ધરપકડ
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત એરફોર્સ સ્ટેશન પર ચોંકાવનારી ઘટના: 27 વર્ષીય વાયુસેનાના સૈનિકે AK-47 થી પોતાને ગોળી મારી
2 દિવસ પહેલા
ગુજરાતભગવાન જગન્નાથજી મોસાળ સરસપુર ખાતે પહોંચ્યા
3 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદમાં ૧૪૯મી ભવ્ય રથયાત્રા ભગવાન જગન્નાથજી નગરચર્યાએ
3 દિવસ પહેલા
