મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ આ મેળો તારીખ 10 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. આ મેળાના સુચારું આયોજનના ભાગરૂપે અન્નપૂર્ણા ભોજનાલય, બહુચરાજી ખાતે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે વિવિધ સમિતિના કન્વીનર, સહ કન્વીનરને તેમને સોંપેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન સહિત વિવિધ સુચન કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેકટરે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા, મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, મેળામાં મંડપ સહિતની આનુસાંગિક વ્યવસ્થા, મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે માટે સાફ સફાઈની વ્યવસ્થા, મેળામાં આવતા યાત્રિકોના આરોગ્ય માટે આરોગ્ય વિનહાગની વ્યબસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, મેળા દરમિયાન યાત્રાળુઓ માટે પુરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા, મેળામાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેમજ મેળામાં આરોગ્ય અંતર્ગત તમામ સુવિધાઓ મળી રહે જેવી વિવિધ બાબતોની સમીક્ષા કરી સંબંધિત કન્વીનરોને તેમની કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
બહુચરાજી ચૈત્રી પૂનમના મેળાની પુર્વ તૈયારી રૂપે મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

ટેગ્સ:#Local Governance#Mehsana District#Traffic Management#Event Planning#Community involvement#Pilgrimage Site#Bahucharaji Chaitri Poonam Fair#Review Meeting#Cultural Programs#Public Safety Arrangements#Health Facilities#Water Supply for Pilgrims#Cleanliness Measures
સંબંધિત સમાચાર
મહેસાણાન્યાયની માંગ સાથે મહેસાણા ગુંજ્યું : ક્ષત્રિય ઠાકોર સમાજની મહારેલી, કલેક્ટરને આવેદનપત્ર અપાયું
22 કલાક પહેલા
મહેસાણાશક્તિપીઠ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો થનગનાટ: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
23 કલાક પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના રૂ.૩૮.૫૭ કરોડના આવાસોનું વડાપ્રધાન ઈ-લોકાર્પણ કરશે
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
3 દિવસ પહેલા
