દક્ષિણ દિલ્હીના INA વિસ્તારમાં આવેલા દિલ્હી હાટ બજારમાં બુધવારે ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછી ૩૦ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. દિલ્હી ફાયર સર્વિસિસ (DFS) ના અધિકારીએ જણાવ્યું હતું કે રાત્રે ૮.૪૫ વાગ્યાની આસપાસ લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ડીએફએસના જણાવ્યા અનુસાર, એલાર્મ વાગતા જ 12 ફાયર એન્જિન ઘટનાસ્થળે દોડી ગયા હતા. ડીએસએફે જણાવ્યું હતું કે, આ વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો અને ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે હાજર છે, અને આગનું કારણ નક્કી કરવા માટે વધુ તપાસ ચાલુ છે, એમ તેમણે ઉમેર્યું હતું. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
દિલ્હીના લોકપ્રિય હાટ માર્કેટમાં ભીષણ આગ; 30 દુકાનો બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

ટેગ્સ:#Delhi#fire#hospital#Fierce#Investigation#rescue#area#orders#Haat Market#ina#30 shops#Burning to ashes#crowd of people
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયરામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને મોટી રાહત!
5 કલાક પહેલા
રાષ્ટ્રીયસરકારે મેટાને કડક ચેતવણી: બાળ સુરક્ષા નિયમોનો ભંગ કરવો એ ગંભીર બાબત હશે!
5 કલાક પહેલા
રાષ્ટ્રીયચમોલીમાં પ્રખ્યાત કલ્પેશ્વર મહાદેવ મંદિર પાસે ભૂસ્ખલન
6 કલાક પહેલા
રાષ્ટ્રીયPG ગ્રાહકો માટે મોટા સમાચાર! e-KYC માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી
8 કલાક પહેલા
