રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા14 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાના વિકાસ માટે જન આંદોલન; પાલિકા સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન

ડીસાના વિકાસ માટે જન આંદોલન; પાલિકા સામે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન
ડીસાના વિકાસને વેગ આપવા અને સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા માટે, 'શાન તિરંગા ગ્રુપ' દ્વારા નગરપાલિકા સામે અનોખું જન આંદોલન શરૂ કરવામાં આવ્યું. આ આંદોલનનો પ્રારંભ આજે રામધૂન સાથે કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ સત્તાવાળાઓનું ધ્યાન વિવિધ ગંભીર મુદ્દાઓ તરફ દોરવાનો. પાંજરાપોળ માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના નામે પાંજરાપોળ ની જમીન પચાવી પાડવાનો કારસોં ડીસામાં બ્યુટીફિકેશનના નામે કરોડોનું આંધણ: શહેરમાં બ્યુટીફિકેશન પ્રોજેક્ટ્સના નામે થતા અતિશય ખર્ચ અને ભંડોળના કથિત દુરુપયોગ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે આ ઉપરાંત ગેરકાયદેસર કતલખાના બંધ કરવા રોડ ઉપર રખડતા પશુ બાબતે પણ પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી. ગ્રુપનું કહેવું છે કે આ ભંડોળનો ઉપયોગ અન્ય આવશ્યક વિકાસ કાર્યોમાં થવો જોઈએ શહેરમાં હઠીલા હનુમાન મંદિર પાસે આવેલી ગૌશાળાને તોડી પાડવાના નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આ ગૌશાળાને બચાવવા અને ગાયો માટે યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની માગણી કરવામાં આવી છે. 'શાન તિરંગા ગ્રુપ' દ્વારા શરૂ કરાયેલા આ આંદોલનને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રુપે જણાવ્યું છે કે જો તેમની માગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.આ ઉપરાંત આ મામાલે મામલદાર તેમજ નાયબ કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નગરપાલિકાના સત્તાધીશો આ મામલે શું પગલાં ભરે છે, તે જોવું રહ્યું.

સંબંધિત સમાચાર