ભગવાન જગન્નાથજીનો નંદીઘોષ રથ મોસાળ સરસપુરમાં પહોંચી ગયો છે. જયારે ભાઈ બલભદ્ર (તાલધ્વજ રથ) અને બહેન સુભદ્રાજી (દર્પદલન રથ) ધીરે-ધીરે સરસપુર આવી પહોંચ્યા છે. ભગવાન જગન્નાથ સરસપુર મામાના ઘરે ભોજન આરોગી, આરામ કરી મંદિર પરત ફરશે. ત્રણેય રથ હાલ સરસપુર મોસાળમાં પહોંચ્યા છે. એહીં ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો છે. અહીં ભગવાન એક કલાક જેટલો સમય રોકાણ કરશે. હાલ રથયાત્રા સરસપુર પહોંચી છે. રથયાત્રા નિર્ધારિત સમય કરતાં થોડી મોડી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી.
ભગવાન જગન્નાથજી મોસાળ સરસપુર ખાતે પહોંચ્યા





