રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા15 જૂન, 2026| Super Admin

લોધાવાસ–રાજપુર રોડના રહેવાસીઓ મેદાને: ‘સરકારશ્રી’ શબ્દ હટાવવા ડીસામાં માંગ

લોધાવાસ–રાજપુર રોડના રહેવાસીઓ મેદાને: ‘સરકારશ્રી’ શબ્દ હટાવવા ડીસામાં માંગ

ડીસા શહેરના લોધાવાસ–રાજપુર રોડ, વોર્ડ નં. 9 વિસ્તારમાં રહેતા લોધા સમાજ સકલ પંચના આગેવાનો અને રહેવાસીઓએ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી સમક્ષ રજૂઆત કરીને સીટી સર્વે શીટ નં. ૫૮ અને ૫૯ ની જમીન સરકારશ્રી દ્વારા નાબુદ કરવા તેમજ વિસ્તારના મૂળભૂત પ્રશ્નોના ઉકેલ માટે માંગણી કરી છે.

   રહીશોએ રજૂઆતમાં જણાવ્યુ છે કે વર્ષો પહેલા રહેવાસીઓએ ઘાસવાડા વિસ્તારમાં ઝૂંપડાં બાંધી વસવાટ શરૂ કર્યો હતો અને સમય જતાં મકાનો બનાવી જીવન નિર્વાહ કરી રહ્યા છે. છતાં હજુ સુધી જમીન સરકારી રેકોર્ડમાં નિયમિત ન થતાં રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રહેવાસીઓએ ઉમેર્યું કે વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને ગટર જોડાણ અધૂરું છે, જેના કારણે ગંદકીની સમસ્યા વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી તેમજ સ્ટ્રીટ લાઈટ અને રસ્તાના કામો પણ બાકી છે. વિસ્તારના ધાર્મિક સ્થળો આસપાસ પણ ગંદકીના પ્રશ્નો ઉભા થતા હોવાનું જણાવાયું છે.

સાથે જ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે કે વિસ્તારના લોધા સમાજને વર્ષો પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં તેનો અમલ થયો નથી. હાલ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. અને તેઓને કાયમી રાહત મળે તેવી માંગ કરવામાં આવી છે. રહેવાસીઓએ સરકાર અને સ્થાનિક તંત્રને વિસ્તારના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવી જમીન નિયમિત કરવાની તેમજ સમાજના પરિવારોને ન્યાય આપવા અપીલ કરી છે.

સંબંધિત સમાચાર