રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
ગુજરાત16 જુલાઈ, 2026| Super Admin

અમદાવાદમાં ૧૪૯મી ભવ્ય રથયાત્રા ભગવાન જગન્નાથજી નગરચર્યાએ

અમદાવાદમાં આજે આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. દેશની સૌથી મોટી અને ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા આજે પરંપરાગત ઉત્સાહ સાથે નીકળી છે. વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. 

ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પરંપરાગત 'પહિંદ' વિધિ કરવામાં આવી હતી, જેની સાથે જ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. 'નંદીઘોષ', 'દર્પદલન' અને 'તાલધ્વજ' રથમાં બિરાજીને ભગવાન ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. હાલ રથયાત્રા સરસપુર પહોંચી છે. રથયાત્રા નિર્ધારિત સમય કરતાં થોડી મોડી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો થયો નથી. જોકે, રૂટ પર આવેલા જોખમી મકાનો પર ભક્તોની ઉપસ્થિતિ ચિંતાનો વિષય બની છે, જ્યાં તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તેમ છતાં, 'જય જગન્નાથ'ના નાદથી સમગ્ર અમદાવાદ ગુંજી ઉઠ્યું છે.

સંબંધિત સમાચાર