રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ5 જૂન, 2026| Super Admin

પાટણના ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશનના કર્મચારીની બેદરકારીથી લાખો લીટર પાણીનો વેડફાટ

પાટણના ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશનના કર્મચારીની બેદરકારીથી લાખો લીટર પાણીનો વેડફાટ

પાટણ શહેરના ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારી ની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં પાણીની ટાંકી વારંવાર ઉભરાવવાને કારણે લાખો લિટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો પૂરતા પાણી માટે મુશ્કેલી વેઠી રહ્યા છે,ત્યારે પમ્પિંગ સ્ટેશન પર તંત્રની લાપર

વાહીને લીધે પાણીનો આ રીતે બગાડ થતા સ્થાનિકો અને વિપક્ષી સભ્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પાટણ નગરપાલિકા સંચાલિત આ પમ્પિંગ સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક સમયથી પાણીની ટાંકી ઉભરાવાની સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે. તંત્ર દ્વારા જળ સંરક્ષણની વાતો કરવામાં આવતી હોવા છતાં,વાસ્તવિકતામાં પાલિકાના જ એકમમાં લાખો લિટર પાણી રસ્તા પર વહી જતું હોવાના દ્રશ્યો જોવા મળે છે. શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ઓછો મળવાની ફરિયાદો વચ્ચે આ વેડફાટ ચિંતાજનક છે.આ મામલે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકા સદસ્ય દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, પાણીના વેડફાટની આ ગંભીર બાબતે તંત્ર સફાળું જાગે અને તેનો કાયમી ઉકેલ લાવે.આ સમસ્યા બાબતે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ મક્કમ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે પાણી જેવી અમૂલ્ય સંપત્તિનો ખુલ્લેઆમ બગાડ થઈ રહ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે, પાણી બચાવવાના સૂત્રો માત્ર કાગળ પર મર્યાદિત ન રહેવા જોઈએ અને આ બેદરકારી માટે જવાબદાર કર્મચારીઓ કે અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ.જનતાના કરવેરાના નાણાંથી શુદ્ધ કરવામાં આવતું પીવાનું પાણી જ્યારે રસ્તા પર વહી જાય છે, ત્યારે પાલિકા તંત્રની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઊભા થયા છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તોઆંદોલનાત્મક પગલાં લેવામાં આવશે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર