પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના પ્રવાસે છે. પ્રધાનમંત્રી મોદીએ આજે ઇન્ડોનેશિયન સંસદને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "અહીં આવવું મારા માટે સૌભાગ્યની વાત છે. 1.4 અબજ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતા અને 'લોકશાહીની માતા'ના ગૌરવશાળી નાગરિક તરીકે, હું બધા ભારતીયો વતી તમને શુભેચ્છાઓ પાઠવું છું. આજે સવારે ઇન્ડોનેશિયાના લોકોએ મને જે પ્રેમ અને ઉષ્માભર્યું સ્વાગત આપ્યું છે તે હું ક્યારેય ભૂલી શકતો નથી."
સંસદને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "આજે સવારે રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ કોપીરાઈટ વિશે વાત કરી. પ્રેમ, સ્નેહ, મિત્રતા અથવા પરસ્પર આદરની આ લાગણી પર કોઈ કોપીરાઈટ હોઈ શકે નહીં. રાષ્ટ્રપતિ પ્રબોવો સાથેની મારી મિત્રતા બધી કોપીરાઈટ સીમાઓ પાર કરે છે." પીએમ મોદીએ વધુમાં કહ્યું, "આપણી રાજધાનીઓ હજારો કિલોમીટર દૂર હોવા છતાં, ફક્ત 150 કિલોમીટરનો સમુદ્ર આપણને અલગ કરે છે. જ્યારે સમુદ્ર ઘણીવાર અન્ય દેશો વચ્ચે અવરોધ અથવા અંતરનો સ્ત્રોત રહ્યો છે, ભારત અને ઇન્ડોનેશિયા માટે તે ક્યારેય અલગતાનું પ્રતીક રહ્યું નથી; તેના બદલે, સમુદ્ર આપણી વચ્ચે પુલ તરીકે કામ કરે છે અને આપણા સહિયારા ભવિષ્યનું કેન્દ્ર છે."
'ભારતની નીતિ વિસ્તારવાદ નહિ પણ વિકાસવાદ માને છે'

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીય500 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના માસ્ટરમાઇન્ડની પુણેથી ધરપકડ
21 મિનિટ પહેલા
રાષ્ટ્રીયરામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં ત્રણ આરોપીઓને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
2 કલાક પહેલા
રાષ્ટ્રીયઅમરનાથ યાત્રાએ ચાર દાયકાનો રેકોર્ડ તોડ્યો, યાત્રાળુઓ માટે એડવાઇઝરી જારી
2 કલાક પહેલા
રાષ્ટ્રીયદિલ્હીમાં ભારે વરસાદ, એર ઇન્ડિયાએ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી
4 કલાક પહેલા
