રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા25 જાન્યુઆરી, 2025| Super Admin

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ ઐઠોર ગામે રોડ લેવલિંગ બાબતે ગ્રામજનોનો તંત્ર અને ધારાસભ્ય પર ફિટકાર

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ ઐઠોર ગામે રોડ લેવલિંગ બાબતે ગ્રામજનોનો તંત્ર અને ધારાસભ્ય પર ફિટકાર
મહેસાણા જિલ્લાનું ઐઠોર ગામ કે જે ગણપતિ મંદિરના લીધે અતિ પ્રસિદ્ધ છે, પ્રતિ દિવસ અહીંયા હજારો ભક્ત દાદાના દર્શન કરવા આવતા જતાં હોય છે, આમ તો ઐઠોર ગામ ઊંઝા જેવા વિકસિત શહેરને અડીને આવેલું નાનકડું ગામ છે પરંતુ આ ગામમાં વિકાસના નામે રાજકીય રમતો રમાતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક સુવિધાઓથી સભર ગામ હોવા છતાં પણ આ ગામના રોડ રસ્તા ખખડધજ હાલતમાં અને લેવલિંગ વગરના થઈ ગયા છે. જ્યાં પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરે દર્શન કરવા આવતા યાત્રિકોને આવાગમનમાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ રસ્તાના સમારકામ અને લેવલિંગ બાબતે ઐઠોર ગામના ગ્રામજનોએ અનેકોવાર સ્થાનિક ધારાસભ્ય તેમજ તંત્રના જવાબદાર અધિકારીઓને લેખિત અને મૌખિક આવેદનો આપ્યા છે છતાં પણ ઐઠોર ગામના રોડ રસ્તા બાબતે ના તો તંત્રને કાઈ પડી છે કે ના તો સ્થાનિક ધારાસભ્યને કોઈ રસ છે. ઐઠોર ગામના એક જાગૃત યુવક આશિષ પટેલે વારંવારની રજુઆત બાદ લેખિત અરજી આપી હતી, જે અરજી આપે પણ આશરે દસ મહિના કરતળો સમય વીતી ગયો પણ સ્થાનિક તંત્રના નઠોર અધિકારીઓ કે ઊંઝા ધારાસભ્યએ કોઈ પણ કામગીરી કરી નથી. જેના લીધેતંત્રના જવાબદાર અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યની નીરસ કામગીરીને લઈને સ્થાનિકો રોષે ભરાઈ આવનારી ચૂંટણીમાં જવાબ આપીશું તેમ કહેતા પણ જોવા મળી રહ્યા છે. ઐઠોર જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થાને રોડ રસ્તા બાબતે અનેકવાર મીડિયામાં અહેવાલ રજૂ થયા છે છતાં તંત્રના અધિકારીઓ કે ધારાસભ્યના પેટનું પાણી પણ નથી હલતું ત્યારે સવાલ એ થાય છે કે ગામના લોકો અને દર્શનાર્થે આવતા ભક્તોની વધતી જતી હેરાનગતિ માટે જવાબદાર કોણ તંત્રના અધિકારીઓ કે સ્થાનિક ધારાસભ્ય કે પછી રાજકીય આગેવાનો??

સંબંધિત સમાચાર