રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ6 જુલાઈ, 2025| Super Admin

પાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ

પાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ
પદ્મનાભ મંદિર માગૅ પર વરસાદ બંધ થયા બાદ પણ કલાકો સુધી ઢીંચણ સમા ભરાઈ રહેતા પાણી ને કારણે દશૅનાર્થે આવતા લોકો ને ભોગવવી પડતી મુશ્કેલીઓ પાલિકા પ્રમુખના વોડૅની સમસ્યા હલ થતી નથી ત્યારે શહેરના અન્ય વોડૅની પરિસ્થિતિ કેવી હશે પાટણ શહેરમાં વરસી રહેલા વરસાદના કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. તો પાલિકા તંત્રની પ્રિ-મોનસુન કામગીરી કાગળ પર કરવામાં આવી હોય તેવી પરિસ્થિતિ નિર્માણ સર્જાવા પામ્યું છે. પાટણ શહેરના પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીના મંદિર પ્રવેશ દ્વારા ના માગૅ પર ઢીંચણ સમાના વરસાદી પાણી ભરાતા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ સહિત આજુબાજુના વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. આ માર્ગ પર ભરાઈ રહેતા વરસાદી પાણીનો વરસાદ બંધ થયા પછી પણ કલાકો સુધી નિકાલ ન થતાં પદ્મનાભ ભગવાનના મંદિરે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ સહિત વિસ્તારના લોકો મા પાલિકા પ્રત્યે રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે. દર ચોમાસાએ ઉપરોક્ત માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સજૉતી હોવા છતાં પાલિકા સત્તાધિશો દ્વારા આ વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોય જેને લઈને પાલિકા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પાટણ નગરપાલિકાના પ્રમુખનો આ વોર્ડ વિસ્તાર હોવા છતાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવતી ન હોય ત્યારે શહેરના અન્ય નિચાણવાળા વિસ્તારના રહીશોને વરસાદના માહોલમાં કેવી પરિસ્થિતિ સજૉતી હશે તે તો વિચારવું જ રહ્યું..

સંબંધિત સમાચાર