આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની આગેવાનીમાં ગુજરાત પ્રદેશ સંગઠનની સૌરાષ્ટ્ર ઝોનની મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગ દરમિયાન પ્રદેશ પ્રભારી ગોપાલ રાયએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં મિથ્યા હતી તે ગુજરાતમાં ત્રીજી પાર્ટીને લોકો અપનાવતા નથી, પરંતુ આમ આદમી પાર્ટીને ૪૦ લાખથી વધુ વોટ આપીને લોકોએ આ મિથ્યાનો ભંગ થયો. લોકોએ આ સાથે જ સ્પષ્ટ સંદેશ આપ્યો કે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકો માટે એક ઉમ્મીદની કિરણ છે. પાંચ સીટો પર અમારી જીત થઈ હતી અને ૩૯ સીટો એવી હતી અમે બીજા નંબરે રહ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વિસાવદરમાં સંમેલન કરવા જઈ રહ્યા છીએ કારણકે વિસાવદરના ખેડૂતોએ ક્યારેય પણ ભાજપને વોટ આપ્યો નથી.વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે થયેલા અપમાનનો બદલો લેશે અને ભાજપને હરાવશે. ગુજરાતના લોકોમાં દર્દ વધી ગયું છે કારણ કે ગુજરાતમાં ભાજપનું વિકાસનું મોડલ આજે ગુલામીનું મોડલ બની ગયું છે. આજે આખા ગુજરાતમાં જે ખેડૂતો પરેશાન છે, તે બોલી પણ નથી શકતા, વિદ્યાર્થીઓ કંઈ બોલી નથી શકતા, બેરોજગારી મુદ્દે યુવાનો કંઈ બોલી નથી શકતા. હાલ અમેરિકાએ ટેરીફમાં વધારો કર્યો છે એના કારણે ગુજરાતના ત્રણ મોટા ઉદ્યોગોને ફટકો પડયો છે. તેમ છતાં પણ ગુજરાતમાં વ્યાપારીઓ બોલી નથી શકતા, મહિલાઓ ઉપર અનેક અત્યારે થઈ રહ્યા છે તેમ છતાં પણ તેઓ બોલી નથી શકતા.
ગુજરાત11 એપ્રિલ, 2025
ગુજરાતનું વિકાસનું મોડલ ગુલામીનું મોડલ બની ગયું: ગોપાલ રાય

ટેગ્સ:#Aam Aadmi Party#Gujarat politics#Electoral Strategy#Public Sentiment#Political Accountability#Farmers' Rights#BJP Criticism#Gopal Rai#Development Model#Unemployment Issues#Saurashtra Zone Meeting#Political Organization#By-elections in Visavadar#Youth Engagement#Women's Issues in Gujarat
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
1 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
3 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
3 દિવસ પહેલા
