રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ28 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણના નિમૅળ નગરના માગૅ પર રૂ.૨૫ લાખ ના ખર્ચે તૈયાર થનાર બોરવેલ નું ખાતમુહુર્ત કરાયું

પાટણના નિમૅળ નગરના માગૅ પર રૂ.૨૫ લાખ ના ખર્ચે તૈયાર થનાર બોરવેલ નું ખાતમુહુર્ત કરાયું
પ્રદેશ ભાજપ મહામંત્રી સહિત ના આગેવાનો અને પાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા; પાટણ શહેરના નિર્મળ નગર માગૅ પર તિરુપતિના પાછળ ના ભાગે પાટણ નગરપાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા નવીન પંપરૂમ તથા પંપિંગ મશીનરી સહિત નવીન બોરવેલ બનાવવાનું ખાતમુર્હુત ગણેશ ચતુર્થી ના પવિત્ર દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો અને નગરપાલિકાના નગરસેવકોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં અવિરત પણે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે હાઇવે વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા પ્રેસરથી મળી રહે તેવા પ્રયાસોના ભાગરૂપે નવીન બોરવેલ બનાવવાનું કામ મંજુર થતા આગેવાનો ની વિશેષ ઉપસ્થિત વચ્ચે બુધવારે તેનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. આ નવીન બોરવેલ ૧૫ માં નાણાપંચ ની વર્ષ ૨૦૨૨-૨૩ ની પ્રથમ હપ્તાની 25 લાખની ગ્રાન્ટ માંથી બનાવવામાં આવનાર હોવાનું પાલિકા ના સુત્રોએ જણાવ્યું હતું. ખાતમુર્હુત મા ઉપસ્થિત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર અને નગરપાલિકાઓ દ્વારા જનસુખાકારી ના કાર્યો માટે વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે પાટણ મા અંદાજિત ૨૫ લાખના ખર્ચે નવીન બોરવેલ બનાવવાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હોવાથી આ વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને તેઓની પાણીની સમસ્યાનો કાયમી હલ આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર