સરદાર કૃષિનગરમાં પશુપાલકોનો જમાવડો : ત્રિ-દિવસીય તાલીમ અને એક્સ્પોઝર વિઝિટ યોજાયો

૨૦૦ જેટલી મહિલાઓને વૈજ્ઞાનિક પશુપાલન અંગે માર્ગદર્શન અને પ્રાયોગિક માહિતી અપાઈ
પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગર (દાંતીવાડા) ખાતે તા. ૧૬ થી ૧૮ માર્ચ ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય પશુપાલન તાલીમ કમ એક્સ્પોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કામધેનુ યુનિવર્સિટી, રિલાયન્સ ફાઉન્ડેશન અને રાજસ્થાન બાલ કલ્યાણ સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
ડૉ. એચ.સી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા ડૉ. જી.એમ. ચૌધરીના સંચાલનમાં યોજાયેલ આ તાલીમમાં વિવિધ વિભાગોના નિષ્ણાતોએ પશુ રોગનિદાન, સંવર્ધન, આહાર વ્યવસ્થાપન, રહેઠાણ, દૂધમાં ભેળસેળ ચકાસણી તેમજ પશુજન્ય રોગો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.આ તાલીમમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાંથી આશરે ૨૦૦ જેટલી પશુપાલક મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાઓને પશુપોષણ, માવજત અને વૈજ્ઞાનિક પશુપાલનની આધુનિક પદ્ધતિઓ અંગે માહિતગાર કરવામાં આવી હતી તેમજ સંબંધિત સાહિત્યનું વિતરણ પણ કરાયું હતું.
તાલીમ દરમિયાન કોલેજના વિવિધ વિભાગો અને પશુ સારવાર સંકુલની પ્રવૃત્તિઓથી પણ હાજર પશુપાલકોને અવગત કરાયા હતા. કાર્યક્રમ સફળ બનાવવા બદલ તમામ તજજ્ઞો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાબાળકોને ચારિત્ર્યના પાઠ ભણાવતો શિક્ષક જ નીકળ્યો હનીટ્રેપનો મુખ્ય સૂત્રધાર..!
3 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં "જય રણછોડ માખણ ચોર" નો નાદ ગુંજી ઉઠ્યો
3 દિવસ પહેલા
બનાસકાંઠાકુંપટ ગામે શીતળા સાતમે ભક્તિમય માહોલ, માતાજીના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
3 દિવસ પહેલા
બનાસકાંઠાલાખણીના ગેળા ગામે જર્જરિત વીજ થાંભલો, વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
3 દિવસ પહેલા
