રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા7 જાન્યુઆરી, 2026| Super Admin

ઊંઝા શહેરમાં ઠેર ઠેર કચરિયાની ઘાણીઓ ધમધમી ઉઠી

ઊંઝા શહેરમાં ઠેર ઠેર કચરિયાની ઘાણીઓ ધમધમી ઉઠી

ઊંઝા શહેરમાં બનતું કચરિયું ઉત્તર ગુજરાતમાં મશહુર છે. એશિયાના નંબર વન ગણાતા ઊંઝા માર્કેટ વાડમાં મસાલા માર્કેટ હોવાથી તલની આવક વધુ થાય છે. જેને લઈ ઊંઝામાં ઠેરઠેર કચરિયાની ઘાણીઓ શરૂ થઇ છે. ઊંઝાના કચરિયાની ગુજરાતના ખૂણેખૂણે માંગ રહે છે. કચરિયુએ શિયાળાનું મિસ્ટાન માનવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડી શરૂઆત થતાં જ કચરીયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી છે. શિયાળામાં કચરિયું ખાવાના અનેક લાભો પણ છે. ત્યારે આપણા  ઉત્તર ગુજરાતમાં નામના મેળવી ચૂકેલા ઊંઝાના કચેરિયાની ખુબજ ડિમાન્ડ છે. હાલ ઊંઝા શહેરનાં બજાર વિસ્તાર સરદાર ચોકથી લઈ ગાંધીચોક સુધીનાં વિસ્તારમાં ઠેરઠેર કચરિયાની ધાણીઓ શરૂ થઇ છે. શિયાળામાં કચરિયું સ્વસ્થ માટે ફાયદાકારક છે. ગરમ મસાલાવાળું કચરિયું સ્વસ્થ માટે ગુણકારી માનવામાં આવે છે. શિયાળામાં કચરિયું સ્વાસ્થ માટે એનર્જી બુસ્ટર છે. ઊંઝા શહેરમાં હાઇવેથી લઈ સ્ટેશન રોડ સહિત અલગ અલગ જગ્યાએ કુલ 25 થી વધુ ઘાણીઓ ધમધમી રહી છે. આ બે માસનો સિઝનેબલ ધંધો છે. કચેરીયાની  ઘાણી પર રોજનું 500 થી 600 કિલોનું કચરિયાનું વેચાણ થાય છે. જ્યાં ઊંઝા શહેર સહિત તાલુકાના લોકો આ વસાણાનો ઉપયોગ કરે છે. રમેશભાઇ તલાટીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઘરાકી ઓછી છે. ભાવમાં રૂપિયા 200 થી 260 સુધીનો કચરીયાનો ભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખજૂર પાક તેમજ મેથી પાકના લાડુ અને વિવિધ ચીકીઓનું વેચાણ કરીએ છીએ.    

સંબંધિત સમાચાર