12 જૂન, 2025 ના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ આ જ વિમાનમાં સવાર હતા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ મેચ થયો હતો અને તેમના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. વિજય રૂપાણીનો પાર્થિવ દેહ લેવા માટે પરિવાર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં તેમના પત્ની અંજલિ રૂપાણી, પુત્ર ઋષભ રૂપાણી સહીત પરિવાર પહોંચ્યો છે. જ્યાં પોલીસ કાફલા સહીત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, DGP વિકાસ સહાય, હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ પંચાલ સહિત મેયર અને તંત્રના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં તેમને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી છે. વિજય રૂપાણીના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે. અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પરિવારના સભ્યોએ આપી શ્રદ્ધાંજલિ. સાથે આ સાથે જ વિજયભાઈનો પાર્થિવ દેહ જોતા જ અંજલિ રૂપાણી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. હવે તેઓ પાર્થિવ દેહ લઈને રાજકોટ જવા રવાના થઇ ગયા છે.
ગુજરાત16 જૂન, 2025
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે

ટેગ્સ:#Vijay Rupani#Rajkot#Community Impact#Government Officials#Tragic Accident#Last Rites#Family Mourning#Air India Flight Crash#Ahmedabad to London#Former Chief Minister of Gujarat#DNA Identification#State Funeral#Emotional Tribute
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
2 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
2 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
3 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
4 દિવસ પહેલા
