રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ24 જૂન, 2025| Super Admin

પાટણમાં સૌ પ્રથમ વાર શ્રી જગન્નાથ ભગવાન મંદિર ખાતે ૨૧ કિલો સુકા મેવા નો મનોરથ કરાયો

પાટણમાં સૌ પ્રથમ વાર શ્રી જગન્નાથ ભગવાન મંદિર ખાતે ૨૧ કિલો સુકા મેવા નો મનોરથ કરાયો
સુકા મેવાના મનોરથ નો શ્રી જગન્નાથ ભકતોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી; ધર્મની નગરી પાટણ શહેરના આગણે જગતના નાથ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે થી આગામી તા. ૨૭ મી જુનને અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભારતના ત્રીજા નંબર ની અને ગુજરાતના બીજા નંબરની શ્રી જગન્નાથ ભગવાન,ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ની ૧૪૩ મી રથયાત્રા ને લઇ સમગ્ર શહેરમાં ભક્તિ નો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ૧૪૩ મી અષાઢી બીજની રથયાત્રા ને લઇ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે વિવિધ વાનગીના મનોરથો નું આયોજન કરવામાં આવ્યું હોય સોમવારે સૌ પ્રથમ વખત અષાઢી બીજની ઉજવણી ના ઉપલક્ષ્યમાં ભગવાન સન્મુખ ૨૧ કિલો સુકા મેવાનો મનોરથ કરવામાં આવ્યો હતો. જેમાં કાજુ, બદામ,પિસ્તા,અખરોટ, અંજીર, કાળી- સફેદ દ્રાશ થી ભગવાન ના ગભૅ ગૃહ ને સજાવવામાં આવ્યો હતો. આ સુકા મેવા ની સજાવટમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત જગન્નાથ ભકતો સાથે મંદિર ના પુજારી સહભાગી બન્યા હતા.જગન્નાથ મંદિર ખાતે આયોજિત સુકા મેવા ના મનોરથ ના દર્શન કરી સૌ જગન્નાથ ભકતોએ જઞતનાથ ના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

સંબંધિત સમાચાર