રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા16 જૂન, 2026| Super Admin

મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો: શોભાસણની સકર ડેરીમાંથી અખાદ્ય કેરી અને રસનો જથ્થો ઝડપાયો

મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો: શોભાસણની સકર ડેરીમાંથી અખાદ્ય કેરી અને રસનો જથ્થો ઝડપાયો

ઉનાળાની ઋતુમાં લોકો કેરીના રસની મજા માણતા હોય છે, ત્યારે નફાખોરીના ચક્કરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. મહેસાણા જિલ્લાના શોભાસણ ગામમાં આવેલી જાણીતી 'સકર ડેરી' પર ફૂડ વિભાગે અચાનક દરોડા પાડીને મોટા પાયે અખાદ્ય સામગ્રીનો પર્દાફાશ કરતા સ્થાનિક વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. 

ડેરીના પ્રોડક્શન યુનિટ પર ઝીણવટભરી તપાસ દરમિયાન કેમિકલ અને અખાદ્ય રંગોનો ઉપયોગ કરીને કેરીનો રસ બનાવવાનું મસમોટું કૌભાંડ પકડાયું હતું.ફૂડ સેફ્ટી ઓફિસર વી.જે. ચૌધરીની આગેવાની હેઠળની વિશેષ ટીમે આ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી 990 કિલોગ્રામ કેરી, 170 કિલો તૈયાર શંકાસ્પદ રસ અને 120 લિટર પેપ્સી મળીને કુલ 1,200 કિલો જેટલો ભેળસેળયુક્ત અને અખાદ્ય જથ્થો જપ્ત કર્યો હતો. લોકોના આરોગ્યના હિતમાં તંત્ર દ્વારા અંદાજિત રૂ. 58,100 ની કિંમતના આ અખાદ્ય માલનો તાત્કાલિક ધોરણે નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ડેરીમાંથી લેવામાં આવેલા વિવિધ શંકાસ્પદ સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરી બાદ ફૂડ અધિકારી વી.જે. ચૌધરીએ નાગરિકોને જાગૃત કરતા અપીલ કરી હતી કે, બજારમાં વેચાતા તૈયાર રસને આકર્ષક દેખાડવા માટે નફાખોરો દ્વારા તેમાં ઘણીવાર પ્રતિબંધિત કલર અને કેમિકલ ઉમેરવામાં આવે છે. આવા અખાદ્ય રસનું સેવન કરવાથી મનુષ્યના લિવર અને પાચનતંત્રને ગંભીર નુકસાન પહોંચી શકે છે. તેથી, બજારમાં મળતા રસના વિકલ્પે ઘરે જ તાજી કેરી લાવીને તેમાંથી કાઢેલો શુદ્ધ રસ પીવો સ્વાસ્થ્ય માટે વધુ સુરક્ષિત અને હિતાવહ છે.

ટેગ્સ:#mehsana#Food Department

સંબંધિત સમાચાર