અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન; ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે આવેલ રાવળવાસના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકોએ આગને કાબુમા લેવાં પ્રયત્નો કર્યાં હતાં. જૉકે ઊંઝા પાલિકાનાં ફાયર ફાયટરની ટીમે ધટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન થવા પામ્યું છે. મળતી માહિતી અનુસાર ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે આવેલ રાવળવાસમાં રહેતા નટુભાઈ કેશાભાઈ રાવળના રહેણાક મકાનમાં આકસ્મિક કારણોસર આગ લાગી હતી. જેને લઇ મહોલ્લામાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનીક લોકોએ પાણી વડે આગને કાબૂમાં લેવા ખુબજ પ્રયત્નો હાથ ધર્યા હતા. જૉકે આગ એટલી વિકરાળ હતીકે બુઝાય તેમ નહોતી. જેથી ઊંઝા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ વર્જ પટેલ, ફેનીલ પટેલ, મન અને યોગી આકાશ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમા લીધી હતી. આગને લઈ ઘર વખરી બળીને ખાક થઈ જતાં અંદાજિત દોઢ લાખનું નુકસાન થવા પામ્યું હતું.
ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે રહેણાંક મકાનમાં આગ; અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન

ટેગ્સ:#residential#LOSS#Unjha#Village#house#taluka#Meherwada#estimated#one and a half lakh#house fire
સંબંધિત સમાચાર
મહેસાણાબહુચરાજીથી એદલા માર્ગ પર ખાડારાજ: અકસ્માતનો ભારે ભય, તંત્ર ઘોર નિદ્રામાં
11 કલાક પહેલા
મહેસાણામહેસાણા કોંગ્રેસમાં ધરખમ ફેરફાર, ગેરશિસ્ત બદલ ૩૩ હોદ્દેદારો સસ્પેન્ડ: ૯ નેતાઓને શૉ કોઝ નોટિસ
11 કલાક પહેલા
મહેસાણામહેસાણા LCBનો મોટો સપાટો: ચોરીના ૧૧ બાઇક સાથે વાહનચોર ગેંગના ૫ સાગરીતો ઝડપાયા
11 કલાક પહેલા
મહેસાણામહેસાણાના રામોસણાની પાટીદાર દીકરીનું રહસ્યમય મોત કે હત્યા: પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલો
12 કલાક પહેલા
